રાજકોટ-BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો

Subham Bhatt
1 Min Read

રાજકોટમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બ્રહ્મહ સ્વરૂપ પ્રમુખ સ્વામીમહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વિરલ પારિવારિક શાંતિ અભિયાન યોજવાનું આયોજન કરવામાં આવ્યુંહતું. અભિયાન અંતર્ગત બીએપીએસ સંસ્થાના 72 હજારથી વધુ સ્વયં સેવકો 24,00,000 ઘરોની મુલાકાતકરી હતી. આ વિવિધ ઘરોમાં સ્વયં સેવકો દ્વારા પારિવારિક શાંતિ માટેનું કાર્ય કર્યું હતું.

The program was organized by Rajkot-BAPS Swaminarayan Sanstha

પારિવારિક શાંતિ અભિયાનમાં જોડાયેલ શતાબ્દી સેવક સત્કાર સમારોહ પણ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ રાજકોટના કાલાવડ રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ BAPS મંદિર ખાતે યોજાયો હતો. જ્યારે કાર્યક્રમ દરમિયાન વેકેશનમાં બાળકો દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અને બાલિકાઓ દ્વારા પ્રકૃતિ સંવર્ધન અભિયાનનોશુભારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે રાજ્યના કેબિનેટ મંત્રી અરવિંદભાઈ રૈયાણી, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article