રાજકોટ: ધોરાજીમાં માથુકીયા પરિવારનો લગ્ન પ્રસંગ દેશભકિતના રંગે રંગાયો

Subham Bhatt
1 Min Read

માથુકીયા પરિવારનો લગ્નપ્રસંગ દેશભકિતના રંગેરંગાયો હતો . લગ્ન પ્રસંગમાં વર – કન્યાએ રાષ્ટ્ર ગીતનું પઠન કર્યા બાદ લગ્નના ફેરા ફર્યા હતા.ધોરાજીના દિપકભાઈ માથુકીયા અને પારૂલાબેન માથુકીયાની ચિ. શ્રૃતિના લગ્ન ચિ.નિલ સાથે યોજાયા હતા . લગ્ન પહેલા તમામ , મહેમાનો અને વર કન્યા ઉભા થઈ રાષ્ટ્રગીતનું પઢન કર્યું છે . બાદમાં વર -કન્યાએ લગ્નના ફેરા ફર્યા હતાં. આ તકે લગ્ન પ્રસંગમાં લોકોમાં રાષ્ટ્રભાવના જાગે તેવા પ્રયાસો કરાયા હતાં . લગ્ન પ્રસંગમાં નીમેશભાઈ ધડુક પીઢ અગ્રણી , વી.ડી.પટેલ , હરસુખભાઈ ટોપીયા , રમણીકભાઈ ટોપીયા , વિનુભાઈ માથુકીયા , ડો.હાર્દીક સંઘાણી તેમજ વિવિધ અગ્રણીઓ સામાજીક રાજકીય અગ્રણીઓ શિક્ષણવિદ્રો સહીતના લોકોએ હાજર રહી નવ દંપતિને આર્શીવચન પાઠવેલ હતા .

Share This Article