પાટણ શહેરમાં કેટલાય મકાનો પડવાના વાંકે ઉભા છે તો જર્જરિત મકાન માલિકોને નગરપાલિકા દ્વારા નોટીસો આપવા છતાં મકાનો ઉતારવામાં ના આવતા આવા મકાનોના લીધે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવી શકે છે ત્યારે શહેર ના વોર્ડ નંબર સાત માં આવેલ નાગરવાડા વિસ્તારમાં એક જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશયી થઇ ગયો હતો સદનશીબે કોઈ જાણ હાનિ થઇ નહોતી તો ઘટના ની જાણ સ્થાનિક કોર્પોરેટર પી.જે વાણીયા ને કરતા તેઓ તાત્કાલિકે ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો આ મકાન ત્યાં થી પસાર થવાના મુખ્ય માર્ગ ઉપર આવેલું હોઈ ગમે ત્યારે ધરાશયી થઇ શકે છે.અને વર્ષો થી બંધ પડેલું હોય આજુબાજુ ભય નો માહોલ ઉભો થયો છે અને પાલિકા તંત્ર દ્વારા આ જર્જરિત મકાન ઉતારી લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -