શરમજનક : હવસખોરોએ ત્રિપુરામાં 90 વર્ષની વૃદ્ધા સાથે આચર્યું દુષ્કર્મ

admin
1 Min Read

ભારત દેશમાં મહિલાઓ પર અત્યાચારો વધતા કેસો હવે ચિંતાનો વિષય બની ગયા છે, એવામાં ત્રિપુરમાંથી સામે આવેલા કેસે સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. ત્રિપુરામાં એક 90 વર્ષની વૃદ્ધા પર બે નરાધમોએ બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાએ ફરી એકવાર દેશમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉભા કરી દીધા છે.

આ બનાવ 24 ઓક્ટોબરે ઉત્તર ત્રિપુરાના કંચનપુરના બરહલદી ગામમાં બન્યો હતો. જે અંગે પીડિત વૃદ્ધાના પરિવારે આ અંગેની ફરિયાદ 29 ઓક્ટોબરે નોંધાવી હતી. આ મામલે જિલ્લા પોલીસનું કહેવુ છે કે વૃદ્ધા પર બળાત્કાર ગુજારનારા બંને નરાધમ હાલમાં ફરાર છે અને તેમને ઝડપી પાડવા માટે પોલીસ તમામ કાર્યવાહી કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપી પૈકી એક વૃદ્ધાને દાદી કહેતો હતો. વૃદ્ધા ઘરમાં એકલા હતા ત્યારે મોડી રાત્રે બંને આરોપીઓ કુકર્મ કર્યુ હતું.

Share This Article