રાજકોટથી જૂનાગઢમાં બે પરિવાર આવ્યા, પોલીસને જાણ થતાં પોલીસ હરકતમાં આવી

admin
1 Min Read

રાજકોટથી જુનાગઢ દોલતપરા વિસ્તારમાં આવેલા બે પરિવારના લોકોને પોલીસે શોધી હોસ્પિટલમાં તબીબી ચકાસણી માટે મોકલ્યા હતા. મહત્વનુ છે કે, જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં બે પરિવાર ગત રાત્રીના સમયે રાજકોટથી આવ્યાના સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા હતા. ત્યારે આ પરિવાર દ્વારા આરોગ્ય ચેક અપ ન કરતા પોલીસને જાણ થતા પોલીસે શોધ ખોળ આદરી હતી. તેમજ કોરોના અંતર્ગત આરોગ્ય તપાસ માટે પોલીસે શોધખોળ આદરી હતી.

અંતમાં પોલીસે આ બંને પરિવારની શોધ ખોળ કરી જુનાગઢ આરોગ્ય વિભાગમા પરિવારને આરોગ્ય તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.  જ્યા બંને પરિવારના સભ્યોનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં કોરોનાના કારણે અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે ત્યારે લોકોએ જાતે જ જાગૃત બનીને ચેકઅપ કરાવવું જોઈએ એની જગ્યાએ લોકો ઘરમાં છુપાઈને બેઠા છે. એવા લોકોને એ વિશે જાણ પણ નથી કે જો કોરોના પોઝીટીવ આવશે તો એમની સાથે એમના આખા પરિવારને આની ગંભીર અસર થઈ શકે છે. આવો બનાવ જુનાગઢમાં સામે આવતા પોલીસ હરકતમાં આવતી જોવા મળી હતી.

Share This Article