ડભોઇ પંથકમાં દિવસે દિવસે કોરોના કહેર વધી રહ્યો છે ત્યારે કલેક્ટર દ્વારા ડભોઇમાં ઑક્સીજન સહિતની સુવીધા સાથે બેડમાં વધારો થાય તે માટે આરોગ્ય તંત્ર ને સૂચના અપાઈ હતી. જે આધારે આજ રોજ ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ઓકશીજન સહિતની સુવીધા સાથે ના 30 જેટલા બેડની સુવીધા ઊભી થતાં ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા રેફરલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. સાથે સાથે ડભોઇના તબીબો જે બહાર સેવા આપવા ગયા છે
તેમણે પણ ઉપર રજૂઆત કરી ડભોઇ પાછા બોલવા રજૂઆત કરવામાં આવશેનું જણાવ્યુ હતું. એક તરફ કોરોના કહેર વધી રહ્યો છે તો બીજી તરફ સરકાર આરોગ્ય લક્ષી સેવાઓમાં વધારો થાય અને કોઈને તકલીફ ન પડે તેની તાકીદ રાખી રહી છે..ત્યારે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે નવા 30 બેડની સુવીધા ઑક્સીજન સહિતની ઊભી કરવામાં આવી છે નવા બે વોર્ડ બનાવાયા છે. ત્યારે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.