યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા યોજાશે સ્નેહમિલન કાર્યક્રમ

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લામાં યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા જિલ્લામાં ટૂંક સમયમાં ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે  ડીસાના આખોલ ગામે અંબાજી માતાના મંદિરે મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો, આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમ માટે યુવા ક્ષત્રિય સેના દ્વારા બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળ માટે ટીમની રચના કરવામાં આવી છે. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા. તેમજ સમાજને એક સાથે લઈને ચાલી આ કાર્યક્રમને સફળ બનાવવા આહવાન પણ કરવામાં આવ્યુ હતું. મહત્વનું છે કે, યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા યોજવામાં આવનાર સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરી વધુમાં વધુ યુવાનો સમાજના કાર્યમાં જોડાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

Share This Article