સાબરકાંઠા : હિંમતનગરમાં સિનીયર સીટીઝન માટે યોજાયો કેમ્પ

admin
1 Min Read

કોરોના વાયરસનો પ્રકોપ હાલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના કહેર વચ્ચે રાજ્યમાં વેક્સિનેશનનું કામ ઝડપી ચાલી રહ્યુ છે. તો સાથે જ મોટી ઉંમરના લોકોનું સ્વાસ્થ્ય સારુ રહે અને તેઓ કોરોના સંક્રમણથી દૂર રહે તે માટે વિવિધ સ્વાસ્થ્ય કેમ્પના આયોજન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સિનીયર સિટીઝન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

 

 

 

મળતી માહિતી મુજબ હિંમતનગરમાં આવેલ પંચદેવ મંદિર ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અને માનસિક આરોગ્ય વિભાગ દ્વારા આ કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં હિંમતનગરના સિનીયર સીટીઝન સભ્યોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં નિષ્ણાંત તબીબો દ્વારા સિનીયર સીટીઝન સભ્યોનું ચેકઅપ કરવામાં આવ્યુ હતું. મહત્વનું છે કે, રાજ્યના વિવિધ વિસ્તારમાં સમયાંતરે સેવાકીય સંસ્થાઓ તેમજ રાજ્ય સરકાર દ્વારા સ્વાસ્થ્યને લગતા કેમ્પનું આયોજન કરવામાં આવતુ હોય છે.

Share This Article