સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ભગવાન જગન્નાથની ૨૪ મી રથયાત્રા પહેલા જીલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરનો નાથ અષાઢી બીજે નગર ચર્ચાએ નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતી પુર્ણ માહોલમાં પુર્ણ થાય તેને લઈ ઈડર કોલેજ ખાતે શાંતી સમિતિની એક બેઠક યોજાઈ હતી
કોરોના મહામારીનાં બે વર્ષ પછી નગરનો નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગર ચર્ચાએ નીકળશે તેમાં કોરોના મહામારીના બે વર્ષ પછી ધામધૂમ પૂર્વક નીકળનારી રથયાત્રાને લઈ ભક્તોમાં આતુરતા જોવા મળી રહી છે રથયાત્રા નિમીતે શહેર માં ૧ ડી.વાય.એસ.પી ૬ પી.આઈ ૨૩ પી.એસ.આઇ ૪૦૦ પોલીસ જવાનો ૨૦૦ હોમગાર્ડ જવાનો ફોટોગ્રાફર હેન્ડ કેમેરા ડ્રોન કેમેરા તૈનાત રહેશે ભગવાન જગન્નાથની રથયાત્રામાં બેન્ડ-૧,નાશિક ઢોલ-૧,ઘોડા-૨,ટ્રેક્ટર- ૧,ડી.જે-૧ ભજન મંડળી સાધુ સંતો તેમજ એક રથ રથયાત્રામા જોડાશે મોટા રામ દવારાના મહંતશ્રીએ ઈડરની ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાવા માટે આહવાન કર્યું છે