ભરુચ-નબીપુર ગામે લોક દરબારનું આયોજન

Subham Bhatt
2 Min Read

ભરુચ જિલ્લાના નબીપુર ગામે સ્થાનિક પોલીસના સહયોગ થી જન જાગૃતિ અંતર્ગત લોક દરબાર નુંઆયોજન કરાયું, ભરૂચના ASP હાજર રહયા, ગ્રામજનો નો સારો પ્રતિસાદ. ગત તા. 4 મેં 2022 ની રાત્રેભરૂચ જિલ્લાના નબીપુર ખાતે સ્થાનિક પોલીસ ના સહયોગ થી ગુજરાત પોલીસ દ્વારા એક જન સંપર્કઅભિયાન અંતર્ગત લોક દરબારનું આયોજન કરાયું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે 2018 ની બેચના IPSઓફિસર ASP વિકાસ સુનંદા ઉપસ્થિત રહયા હતા. તેમની સાથે નબીપુર પોલીસ સ્ટેશનના PSI એ. કે.જાડેઝા તેમના સ્ટાફ સાથે હાજર રહયા હતા. ASP સાહેબે પોતાના પ્રવચનમાં પ્રજાને પોલીસ અને જનતાવચ્ચેના સંબંધની સમજ પૂરી પાડી હતી. પ્રજાને કોઈપણ જાતની સમસ્યા કે કોઈ તકલીફ હોય તોસ્થાનિક પોલીસનો સંપર્ક કરતા ખચકાવું નહીં અને જો જરૂર પડે તો ASP ઓફીસ ભરૂચનો સંપર્ક કરવો અને પોલીસને મદદ રૂપ થવાની અપીલ પણ કરી હતી.

Planning of Lok Darbar in Bharuch-Nabipur village

ASP એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુંકે ગુજરાત પોલીસ પ્રજા મા જઇ લોક દરબાર કરી જનતામાં જાગૃકતા લાવવા માટે આવા કાર્યક્રમો યોજવા જઇ રાહીછે તેમાં બરૂચ જિલ્લામાં આ પ્રથમ કાર્યક્રમ હતો જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જેપછી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવા કાર્યક્રમોનું આયોજન થશે. ASP સાહેબેનબીપુરની જનતા નો આ કાર્યક્રમમાં હાજર રહી સાંભળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગેમંચ ઉપર નબીપુરના PSI એ.કે.જાડેઝા, નબીપુર તાલુકા પંચાયતના સભ્ય શકીલ અકુજી, નબીપુરનાસરપંચ સિરિનબેન, ડે. સરપંચ હાફેઝી ઈકરામભાઈ તથા ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહયા હતા.ગામના સરપંચ, ડે. સરપંચ, સભ્યો અને ગામના આગેવાની દ્વારા ASP, PSI અને અન્યોનું સ્વાગતપુષ્પગુચ્છ દ્વારા કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ નું નબીપુરના PSI એ.કે.જાડેજા ની દોરવણી હેઠળ ગ્રામપંચાયતે સુંદર આયોજન કર્યું હતું. નબીપુર પોલીસ સ્ટેશન ના સ્ટાફે સુંદર કામગીરી બજાવી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓની સૂચક હાજરી થી નાયબ પોલીસ અધિક્ષક પ્રભાવિત થયા હતા…

Share This Article