જુનાગઢ-કેશોદમાં આપ દ્વારા પરિવર્તન યાત્રા યોજાઈ

Subham Bhatt
1 Min Read

આમ આદમી પાર્ટી દ્વારા ગામના ચોરે આપની ચર્ચા નામનો પ્રોગ્રામ યોજાયો હતો જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો ત્યાર બાદછેલ્લાં ત્રણ દિવસથી વિવિધ જગ્યાએથી પરિવર્તન યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યુછે જે પરિવર્તન યાત્રા આજે કેશોદમાં યોજાઈહતી કેશોદના માંગરોળ રોડ કરેણીયા બાપાના મંદિરેથી આપ નેતા ઈશુદાન ગઢવી પ્રવિણ રામ સહીતના આપ નેતાઓનેબાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરી પરિવર્તન યાત્રાનો પ્રારંભ થયો હતો જ્યાંથી શહેરના શરદ ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા બાદમાં ચાર ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને
હારતોરા કરી બાઈક રેલી સ્વરૂપે પરિવર્તન યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હતી

Parivartan Yatra was organized by AAPParivartan Yatra was organized by AAP in Junagadh-Keshod in Junagadh-Keshod

ભાજપના સાશનમાં ગુજરાતમાં ખેડુતો પીડાઈ રહયાછે પોષણક્ષમ ભાવ નથી મળતા બેરોજગારોને નોકરી નથી મળતી વેપારીઓ ગરીબો કર્મચારીઓનું શોષણ
કરવામાં આવી રહ્યુંછે આવા તમામ મુદ્દાઓને લઈને પરિવર્તન યાત્રા યોજાઈ રહીછે ત્યારે આગામી દિવસોમાં આપના હોદ્દેદારોકાર્યકરોની ઉપસ્થિતિમાં અરવિંદ કેજરીવાલ સંબોધન સાથે પરિવર્તનની હાંકલ કરશે એક વ્યક્તિ સો વ્યક્તિને જોડે એવા સંકલ્પ સાથે આગામી કાર્યક્રમ યોજવામાં આવશે તેવું આપ નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું

Share This Article