મહેસાણા- વડનગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેતા કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી

Subham Bhatt
2 Min Read

મહેસાણા જિલ્લાના વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા અને દુનિયાનું શ્રેષ્ઠટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાના નિર્ધાર સાથે, મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કેન્દ્રના આર્કિયોલોજી વિભાગ અને ગુજરાતસરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮થી ૨૦મે દરમિયાન ત્રિ-દિવસીય સૌ પ્રથમવાર વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨યોજાઇ રહી છે.જેના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા બાદ, કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રીશ્રી મીનાક્ષી લેખીએ ઐતિહાસિક નગરીવડનગરની મુલાકાત લીધી હતી. આંતરરાષ્ટ્રીય વર્લ્ડ મ્યુઝિયમ-ડે, તા.૧૮મી મે થી શરૂ થયેલી આ કોન્ફરન્સ ત્રણ દિવસચાલવાની છે.આ કોન્ફરન્સના ભાગ રૂપે વડનગરની મુલાકાત દરમિયાન મીનાક્ષી લેખીએ વડનગરનાં કીર્તિ તોરણ, પ્રેરણા=સ્કુલ, આંતરરાષ્ટ્રીય કક્ષાના નિર્માણાધીન એક્સપેરિયન્સલ મ્યુઝિયમ સાઇટ,ઉત્ખનન સાઇટ, રેલવે સ્ટેશનની પ્રધાનમંત્રીશ્રીનાબાળપણની યાદ એવી ચાની કીટલી સહિતનાં વિવિધ સ્થળોની મુલાકાત લઇને ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષોનું નિરીક્ષણ કર્યું હતું

Mehsana- Union Minister of State for Culture visiting historical places of Vadnagar

અને તેમણે ઉત્ખનનની વિવિધ સાઇટ પર પગપાળાં જઇને માહિતી મેળવી હતી. વડનગરમાં 15 હજારથી વધુ ચોરસવાર જમીન ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બનવાનું છે.હાલ આ મ્યુઝિયમ સાઇટ ઉપર વડનગરના આજુબાજુના332 શ્રમિકો ખોદકામ અને ઉત્ખનન કરીને રોજગારી મેળવી રહ્યા છે.આ તમામ શ્રમિકોના ખાતામાં ડી.બી.ટીથી નાણાંચૂકવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન શંખચૂડી,અલગ અલગ ડિઝાઇના ઠીકરાં,માટીનાંરમકડાં,પેન્ડેન્ટ અને સીલીંગ મળી આવ્યા છે. વડનગરમાં આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2014થી જુદી જુદી અઢારજગ્યાએ ખોદકામ ચાલું રહ્યું છે. જેમાંથી અત્યાર સુધીમાં 25 હજારથી વધુ વસ્તુઓના અવશેષો મળી આવ્યા હોવાની વિગતો સહાયક પુરાતત્તવવિદ અનન્યા ચક્રવર્તીએ આપી હતી.

Share This Article