બનાસકાંઠા- અંબાજીમાં પાણીની સમસ્યાથી કંટાળતા સ્થાનિકો

Subham Bhatt
2 Min Read

અંબાજી ગ્રામ પંચાયત ગુજરાતની મોટામાં મોટી ગ્રામ પંચાયત છે તેમજ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ છે તેમ છતાં પંચાયત નાહોદ્દેદારો અને પદાધિકારીઓ ના અણઘડ વહીવટ ને કારણે ગામ આજદિન સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ગામમાં છેલ્લાકેટલાય મહિનાથી પીવાના તેમજ વાપરવાના પાણીની સમસ્યા છે જે દરેક મહોલ્લા પોળ અને સોસાયટીના રહીશોને આવીમુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનો ને સ્વખર્ચે પાણી ના ટેન્કર મંગાવી પાણીનો વપરાશ કરવો પડી રહ્યો છે તેમછતાં પંચાયત ના સદશ્યો સરપંચ સેક્રેટરી કે વહીવટદાર ના પેટ નું પાણી પણ હાલતું નથી હાલમાં વહીવટદાર સાશન છે ત્યારેપણ કોઈ નિર્ણય લઈ શકતા નથી જ્યારે સરપંચ કે પંચાયતની બોડી પણ પાંચ વર્ષો માં લોકો ની સમસ્યા માં કોઈ ફેર પાડી શકીનહોતી સરપંચ બનવા લોકો પડાપડી કરતા હોય છે પરંતુ સરપંચ બન્યા પછી તેની જવાબદારી નિભાવવામાં પાછીપાની કરે છેવર્ષે દહાડે લાખ્ખો રૂ ની ગ્રાન્ટ ગામના વિકાસ માટે આવે છે પરંતુ આખા અંબાજીમાં ક્યાંય એવો ઝાઝો વિકાસ થયો હોય તેવું લાગતું કે દેખાતું નથી દર વર્ષે વસ્તીના ધોરણે નાણા પંચ ની ગ્રાન્ટ આવે છે

Banaskantha- Locals fed up with water problem in Ambaji

તેમાંથી ત્રીસ ટકા રકમ પાણી ની સુખાકારી માટેવાપરવાની થતી હોય છે પરંતુ વાસ્તવમાં તેમ થતું નથી વાસમો જેવી સંસ્થા પાણી માટે લાખ્ખોની ગ્રાન્ટ આપે છે પણ તેનોઉપયોગ કરે તેવી કુશગ્રતા પંચાયતની બોડીમાં હોતી નથી તેથી લોકો એ પીસાવુ પડે છે આ બાબતે અંબાજી ગ્રામ ના જાગૃતનાગરિક જયદેવભાઈ દવે એ પંચાયતના સેક્રેટરી ને લેખિત માં રજુઆત કરતા સેક્રેટરીએ દોષ નો ટોપલો પાણીપુરવઠા ઉપરઢોળ્યો હતો કહ્યું હતું કે ત્યાંથી પાણી પૂરતું મળતું નથી તેથી ગામમાં પહોંચાડી શકાતું નથી જ્યારે પુરવઠા નું બિલ પણ ઘણાસમયથી બાકી હોવાથી તેઓ સાંભળતા નથી જ્યારે લોકો ના વેરા ઘણા સમયથી બાકી હોવાથી પાણીનું બિલ સમયસર ભરીશકાતું નથી અને પાણી ની સમસ્યા હલથઈ શક્તિ નથી આ બાબતને લઈને જયદેવભાઈ દ્વારા પાણી પુરવઠા ને પણ રજુઆતકરી હતી અને ગાંધીનગર સુધી રજુઆત કરી હતી આમ ગામમાં પાણી ની વિકટ સમસ્યા છે અને આ ઉપરાંત ઘણી સમસ્યા ઓ જેવી કે રોડ-રસ્તા,ગટર, વગેરેની ઘણી સમસ્યા નો સામનો ગામના લોકો કરી રહ્યા છે જેનો યોગ્ય ઉકેલ આવે તેવી લોકોની માંગણી છે

Share This Article