જામનગર-પ્રતાપ વિલાસ પેલેસને રોશનીથી શણગારતા ભવ્ય નજારો બન્યો

Subham Bhatt
1 Min Read

The Jamnagar-Pratap Vilas Palace became a magnificent sight adorned with lights

જામનગરના માજી રાજવી દ્વારા ઝળહળતી રોશનીથી સજ્જ કરાયેલા પ્રતાપ વિલાસ પેલેસનો ભવ્ય નજારો જોવા મળ્યોછે. જામનગરમાં માજી રાજવી શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજા (જામસાહેબ) દ્વારા ઈશા ફાઉન્ડેશન ના સ્થાપક અને આધ્યાત્મિકગુરુ એવા સદગુરુ જગ્ગી વાસુદેવ ને આવકારવા માટે નો વિશેષ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે જામનગરની શાન સમાપ્રતાપ વિલાસ પેલેસ ને પણ ઝળહળતી રંગબીરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત તસવીરમાં માજી રાજવીહિઝ હોલીનેઝ જામસાહેબ દ્વારા વિશેષ પ્રકારની લાઇટોની રોશની સાથે જામનગરના પ્રતાપ વિલાસ પેલેસને શણગારવામાંઆવ્યો છે. જે નો જાજરમાન અને ભવ્ય નજારો નિહાળી શકાય છે. પ્રતાપ વિલાસ પેલેસ નો ભવ્ય નજારો નિહાળી ને અનેક શહેરીજનો આનંદિત થયા હતા.

Share This Article