ઊંઝાથી જૂનાગઢ જતી એસ.ટી બસનું ટાયર અચાનક નીકળી ગયું, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

Subham Bhatt
1 Min Read

મહેસાણા એસ.ટી ડિવિઝન સંચાલિત ઊંઝા એસટી ડેપોની લાપરવાહી સામે આવી છે. જેમા ઊંઝા એસ.ટી ડેપોની એક બસનું ચાલુ બસે ટાયર નીકળી જતા બસમાં બેસેલા મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા. જોકે, સદનસીબે દુર્ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ.ઊંઝા ડેપો સંચાલિત ઊંઝા-જૂનાગઢ એસ.ટી બસ રાત્રે 7. 30 કલાકે ઉપડી હતી.

Unjha to Junagadh ST bus suddenly lost its tire, hitting passengers

જ્યારે સોમવારે સવારે 5:00 વીરપુર નજીક પહોંચતા જ એકાએક ચાલુ બસનું પાછળનું ટાયર નીકળી ગયું હતું. જોકે, ડ્રાઈવર દ્વારા બસને કંટ્રોલ કરી દેવાતા મોટી દુર્ઘટના ટળી હતી અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ચાલુ બસે પાછળનું ટાયર નીકળી જવા મામલે મુસફરો પણ રોષે ભરાય હતા.

Share This Article