વડાલીના નવાચામુ ખાતે પાણીની ટાંકી જર્જરિત હાલતમાં

admin
1 Min Read

તમે જાણતા જ હશો કે અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી તૂટી જવાની ઘટના સામે આવી હતી. સ્થાનિકો દ્વારા રજૂઆત કરતા પણ ભ્રષ્ટ અધિકારીઓ પોતાનું કામ બરાબર કરી રહ્યા નથી. હાલમાં પણ સાબરકાંઠાના વાદળીના નવાચામું ખાતે પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોય તેવી બાતમી મળી છે. વડાલીના નવાચામુ ખાતે આવેલી ટાંકી ગમે ત્યારે પડી શકે તેવી હાલતમાં છે. જો આ જર્જરિત ટાંકી પડી જશે તો મોટી જાનહાની સર્જાઈ શકે છે. ગ્રામજનોની માંગ છે કે ટાંકીને અહીંથી બીજે ખસેડવામાં આવે. ત્યાં રહેતા લોકોએ ખૂબ રજૂઆત કરી પરંતુ કોઈ અધિકારીઓ જાને ઘોર નિંદ્રામાં સુઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. હવે આ જર્જરિત ટાંકી ગમે ત્યારે પડી જશે તેવો આજુબાજુમાં રહેતા સ્થાનિકોને ભય સતાવી રહ્યો છે. આ જર્જરિત ટાંકીની આજુબાજુ અનેક મકાનો રહેલા છે અને સ્કૂલ પણ આવેલી છે. તો શું હવે પ્રશાશન અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી પડવાની જેમ ઘટનાની રાહ જોઈ રહ્યા છે.

Share This Article