Connect with us

અરવલ્લી

ભિલોડાના પાદરા ગામે 16 વર્ષીય સગીરે કરી આત્મહત્યા

Published

on

પાદરા ગામે 16 વર્ષીય યુવકે પોતાના ઘરમાં દોરડે લટકી જીવન ટૂંકાવ્યું છે. મોતનું કરણ અકબંધ છે પરંતુ મૃતક ના પરિવારજનોએ યુવક ની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. મૃતકના મૃતદેહને ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાયો છે. ભિલોડા પોલીસે કિશોરના મોત અંગે એફએસએલ અને ડોગ સ્કવોર્ડ બોલાવી વધુ તપાસ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે, ભિલોડા તાલુકાના પાદરા ગામનો બિપિનભાઈ રમેશભાઈ નિનામાં (ઉ.વ.16) નાઓ અગમ્ય કારણોસર ઘરના આંગણામાં પોતાના શર્ટથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં ઘરે લાશ લટકતી જોઈ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી પંચનામું કર્યું હતું. મૃતકને પીએમ માટે ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં લવાયો હતો પરંતુ પરિવારજનોનું કહેવું છે કે મૃતક બિપિને આત્મહત્યા નહીં પણ તેની હત્યા કોઈકે કરી હોવાના આરોપ સાથે મૃતકના પરિજનોએ પોલીસ સામે રોષ ઠાલવી ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં કુટુંબી જનોએ હોબાળો મચાવ્યો હતો.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

અરવલ્લી

અરવલ્લીના ધનસુરામાં ત્રણ ઇંચ વરસાદ; ડીસામાં વરસાદ સાથે માછલીઓ વરસતા અચરજ!

Published

on

Three inches of rain in Dhansura, Aravalli; Amazing fish raining with rain in December!

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવાર સુધી ચોમાસું  સુરત સુધી પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ અરવલ્લી જિલ્લાના ધનસુરામાં પડ્યો છે. બીજી તરફ ડીસાના એક ગામ ખાતે વરસાદ સાથે માછલીઓનો વરસાદ થતાં કુતૂહલ સર્જાયું છે.

Three inches of rain in Dhansura, Aravalli; Amazing fish raining with rain in December!

મંગળવારે સવારે છ વાગ્યા પૂર્ણ થતા 24 કલાક દરમિયાન રાજ્યના 111 તાલુકામાં વરસાદ (Gujarat monsoon 2022) નોંધાયો છે. જેમાં સૌથી વધારે 70 MM વરસાદ ધનસુરા (Dhansura Rain)માં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાત તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 18 તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

Continue Reading

અરવલ્લી

અરવલ્લી : મંકિપોક્સના ભય વચ્ચે ચીકનપોક્સના કેસમાં વધારો, જીલ્લામાં બાળકો ચિકનપોક્સનો શિકાર બની રહ્યા છે,સગર્ભા માટે ભય

Published

on

Aravalli: Chickenpox cases on the rise amid fears of monkeypox, children in the district are falling prey to chickenpox, fear for pregnant women

દુનિયામાં મંકિપોક્સના કેસ સતત વધી રહ્યા છે મંકીપોક્સે વિશ્વના ઘણા દેશોમાં ભય ફેલાવ્યો છે સદ્નસીબે ભારતમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી પરંતુ મંકિપોક્સ ચેપી હોવાથી અને દુનિયાના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી ભારતમાં તેની એન્ટ્રી અટકાવવા સરકાર સક્રિય થઈ છે. કેન્દ્ર સરકારે મંકિપોક્સના મેનેજમેન્ટની ગાઈડલાઈન્સ બહાર પાડી છે. મંકિપોક્સ જેવા લક્ષણો ધરાવતો ચિકનપૉક્સ બાળકોમાં જોવા મળતા અરવલ્લી જિલ્લામાં ફફડાટ ફેલાયો છેઅરવલ્લી જીલ્લામાં ચિકનપૉક્સના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે જીલ્લામાં અત્યાર સુધી 50 જેટલા બાળકો ચિકનપૉક્સનો ભોગ બનતા તબીબો પણ માથું ખંજવાળી રહ્યા છે ત્યારે ચિકનપૉક્સ બીમારીનું સંક્રમણ ફેલાતું અટકાવવા આરોગ્ય તંત્ર સર્વેની કામગીરી હાથધરે તેવી લોકમાંગ પ્રબળ બની છે

Aravalli: Chickenpox cases on the rise amid fears of monkeypox, children in the district are falling prey to chickenpox, fear for pregnant women

ચિકનપૉક્સ સગર્ભા મહિલાઓ અને પુખ્તવયના લોકો પણ શિકાર બની શકે છેચિકનપોક્સમાં, દર્દીઓને તાવ સાથે શરીર પર નાના લાલ ફોલ્લીઓ પડે છે. આ અંગે તબીબના જણાવ્યા અનુસાર,ચિનકપોક્સ એક ચેપી રોગ છે અને બાળકો તેમજ પુખ્ત વયના લોકો અને સગર્ભા સ્ત્રીઓને આ રોગનું જોખમ રહેલું છે. ચિકનપૉક્સ વાઇરલ ઈન્ફેક્શન હોવાથી જો તમે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવો તો તમને પણ આ રોગ થઈ શકે છે. દર્દીના દાણા અને ઘા માંથી નીકળતા પાણીના સંપર્કમાં આવવાથી પણ બીજા વ્યક્તિ ચેપનો શિકાર પણ બની શકે છે. આ બિમારીથી બચવા માટે બને ત્યાં સુધી સ્વસ્થતા અને ચિકનપૉક્સના દર્દીથી અંતર જાળવવું ખુબ જરૂરી છે

Continue Reading

અરવલ્લી

BAPS દ્વારા આંતરરાષ્ટ્રીય ધુમ્રપાન નિષેધ દિવસ નિમિત્તે મોડાસામાં જનજાગૃતિ રેલી, હજારો લોકો ધુમ્રપાન છોડવા શપથ લેવડાવ્યા

Published

on

BAPS conducts public awareness rally in Modasa on International No Smoking Day, thousands take oath to quit smoking

આંતર રાષ્ટ્રીય ધુમ્રપાન નિષેધ દિન નિમિતે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ અભિયાન ના ભાગ રૂપે દેશના 17 રાજ્યોના સેંકડો શહેરોમા વ્યસનમુક્તિ રેલી કાઢવામાં આવી હતી.અરવલ્લી જિલ્લાના મોડાસા માં પણ ભવ્ય રેલી નીકળી હતી. પૂજ્ય નિર્મલ ચરણ સ્વામીએ ઠાકોરજીનું પૂજન આરતી કરી હતી આ પ્રસંગે મામલતદાર અરુણ ગઢવી, અગ્રણી કનુભાઈ રાવજી ભાઈ પટેલ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કૌશલ પટેલ, ઇન્ડિયન મેડિકલ અસોસિએશન મોડાસા ના હોદ્દેદારો ડો. દિવ્યાંગ પટેલ, ડો. કૃપેશ પટેલ સંસ્થાના અન્ય સંતો વડીલ હરિભક્તો ડો. જીતુભાઇ પટેલ, ડો. હેમંત ભાઈ પટેલ વિગેરે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં વ્યસન મુક્તિ માટે વિવિદ પોસ્ટરો સૂત્રો ગીતો દ્વારા સમગ્ર શહેરમાં પ્રેરણા પુરી પાડી હતી. આ પૂર્વે 14 દિવસમાં સંસ્થાના બાળકો દ્વારા 12,500 થી વધુ વ્યક્તિઓ નો સંપર્ક કરી અને વ્યસન છોડવા ના નિયમ લેવડયા હતા.

BAPS conducts public awareness rally in Modasa on International No Smoking Day, thousands take oath to quit smoking

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આંગણજ અમદાવાદ મુકામે 15 ડિસેમ્બર 2022 થી 13 જાન્યુઆરી 2023 દરમિયાન ધામધૂમ પૂર્વક 750 એકર જમીનમાં ઉજવાશે ,જેની તડામાર તૈયારીઓ વડીલ સંતોના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. આ ઉત્સવમાં લાખો દર્શનાર્થીઓ આવશે, જે માટે દેશ વિદેશના 28,000 જેટલા સ્વયં સેવકો 30 દિવસ થી 8 માસ સુધી નિસ્વાર્થ સેવા આપશે.BAPS SWAMINARAYAN સંસ્થા ના પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન ગુરુ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ના માર્ગદર્શન હેઠળ ભૂતકાળ મા પણ લાખો વ્યક્તિઓને વ્યસન મુક્ત થયા હતા અને આદર્શ નિર્વ્યસની જીવન જીવતા થયા હતા અને જીવનમાં દરેક ખુબ પ્રગતિ કરી રહ્યા છે અને હજારોને વ્યસન છોડવા પ્રેરણા આપી રહ્યા છે

Continue Reading
ગુજરાત3 days ago

આત્મસમર્પણના અહેવાલો વચ્ચે અમૃતપાલ સિંહે આજે વીડિયો સંદેશ જારી કર્યો

Uncategorized3 days ago

ડ્રાઇવિંગ મોડ ડ્રાઇવિંગ અનુભવને બદલે છે, શ્રેષ્ઠ માઇલેજ મેળવવા માટે આ રીતે તેનો ઉપયોગ કરો

Uncategorized3 days ago

સહારા ચિટફંડમાં ફસાયેલા પૈસા પાછા આવશે, સુપ્રીમ કોર્ટે 5000 કરોડ જાહેર કર્યા

Uncategorized3 days ago

IIT મદ્રાસે પેપર આધારિત પોર્ટેબલ ઉપકરણ બનાવ્યું, 30 સેકન્ડમાં દૂધ સહિત આ પદાર્થોમાં પકડી લેશે ભેળસેળ

Uncategorized3 days ago

નિઝામાબાદ જિલ્લામાં મોટી દુર્ઘટના, ખોદવાનું મશીન કાર પર પડ્યું; ત્રણના મોત સહિત ચાર ઘાયલ

Uncategorized3 days ago

PMએ ડેમોક્રેસી સમિટમાં કહ્યું- ભારત ખરેખર લોકશાહીની માતા છે, દેશ છે લોકશાહીનું શ્રેષ્ઠ ઉદાહરણ

Uncategorized3 days ago

કેન્દ્ર સરકારમાં 9.79 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે, રેલવેમાં સૌથી વધુ 2.93 લાખ જગ્યાઓ ખાલી

Uncategorized3 days ago

પુણેના સાંસદ ગિરીશ બાપટનું નિધન, પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું- જનતાના મુદ્દા ઉઠાવતા નેતા

નેશનલ4 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

અનુભવ સિન્હાની ‘ભીડ’નું ટીઝર થયું રિલીઝ, રજુ કરે છે કોરોના કાળ દરમિયાન સ્થળાંતરની વાર્તા

વર્લ્ડ4 weeks ago

‘પુતિનનું યુક્રેન યુદ્ધ LAC પાર ચીનના આક્રમણને પ્રોત્સાહિત કરી શકે છે,’ ભૂતપૂર્વ યુએસ ટોચના અધિકારીએ ચેતવણી આપી

ગુજરાત2 weeks ago

LGBTQ તરીકે ઓળખાતા યુગાન્ડા આઉટલો, ગેરકાયદેસર સમલૈંગિક સંબંધો માટે આપે છે મૃત્યુદંડ

Uncategorized4 weeks ago

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

Uncategorized4 weeks ago

હેલ્થકેરને વધુ સારી બનાવવા ભારત અને વિશ્વ બેંક વચ્ચે થયો એક બિલિયન યુએસ ડોલરનો કરાર

Uncategorized4 weeks ago

વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટનો ફટકો! સંપત્તિ જપ્ત કરવાના નિર્ણયને પડકારતી અરજી ફગાવી

Uncategorized4 weeks ago

4 હાઈકોર્ટમાં 20 વધારાના ન્યાયાધીશોની બઢતી, કાયદા મંત્રાલયના વિભાગે જાહેરનામું બહાર પાડ્યું

Trending