ભાવનગર : વીરપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ સગા ભાઇઓ ડૂબ્યા

admin
1 Min Read

પાલીતાણાના વીરપુર ગામે તળાવમાં ત્રણ બાળકો ન્હાવા પડ્યા હતા. આ ત્રણેય બાળકો ડૂબી જતા ગ્રામજનોબચાવવા માટે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ ત્રણેય બાળકોને બહાર કાઢ્યા હતા. પરંતુ ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ત્રણેય બાળકો સગા ભાઇઓ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે ડેપ્યુટી કલેક્ટર કે.કે. સોલંકી, ઇન્ચાર્જ પીઆઇ ચુડાસમા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. પ્ત વિગત મુજબ વીરપુર ગામમાં રહેતા સુખાભાઇ ચૌહાણના આશરે 5થી 10 વર્ષના ત્રણ પુત્રો ન્હાવા માટે તળાવમાં પડ્યા હતા. એક પછી એક એમ ત્રણેય સગા ભાઇઓ ડૂબવા લાગ્યા હતા. સ્થાનિકોએ ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા અને પોલીસે પીએમ માટે ત્રણેયના મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યા હતા. દિવાળી ટાણે જ ત્રણ ત્રણ પુત્રોના મોતથી પરિવાર પર આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Share This Article