જુનાગઢ-કેશોદમાં શ્રીરાજપુત કરણી સેનાએ મામલતદારને આવેદન આપ્યું

admin
1 Min Read

ગુજરાતના પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે અને અન્ય સુવિધાઓનો લાભ આપવાની માંગણી સાથે કેશોદ તાલુકા શ્રીરાજપુત કરણી સેનાએ ગૃહ મત્રી અને જીલ્લા કલેકટરને રજુઆત કરવા કેશોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. હાલમાં સમગ્ર રાજયભાં ગુજરાત પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મુદે અનેક જીલ્લા તાલુકા મથકોએ આવેદનપત્રો અપાઈ રહયા છે

. ત્યારે કેશોદ તાલુકા શ્રીરાજપુત કરણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ગૃહમંત્રી અને જીલ્લા કલેકટરને રજુઆત સાથે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે અને અન્ય રાજ્યોની સરખામણીએ ઓછા છે. જેમાં સુધારો કરી ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓને મળતા ગ્રેડ પે માં વધારો કરવામાં આવે ઉપરાંત રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓની ફરજનો સમય નક્કી કરવામા આવે તેમજ પોલીસ કર્મચારીઓને અન્ય સુવિધાઓનો લાભ આપવામાં આવે તેવી માંગ સાથે કેશોદ તાલુકા શ્રીરાજપુત કરણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી માંગણી કરી હતી.

Share This Article