જુનાગઢ- જલંધરથી  અમરાપુર ગીર જતી કારે પલટી મારી

Subham Bhatt
1 Min Read

Junagadh: A car traveling from Jalandhar to Amarpur Gir overturned

જુનાગઢના માળીયા હાટીના ના જલંધર થી  અમરાપુર ગીર બાજુ આવતી મારૂતી કાર રોડથી નીચે પુરપાટ ઝડપે ઉતરી જતાએક વ્યક્તિ નું મોત મીપજ્યું છે. માળીયા હાટીના ના જલંધર થી  અમરાપુર ગીર બાજુ થી આવતી મારૂતી કાર નં. GJ-05cm-7027  ભાવેશભાઇ ભગવાનજીભાઇ પાથર  ની કાર કોઈ પણ કારણોસર રોડથી નીચે પુરપાટ ઝડપે ઉતરી જતા કાર ઝાડમાંઅથડાતા ભાવેશભાઇ ભગવાનજીભાઇ પાથર ને માથાના ભાગે ગંભીર ઇજા થતા  108 મારફતે સારવાર અર્થે માળીયા હાટીનાસરકારી હોસ્પીટલ ખાતે લાવતા ફરજ પર ના અધિકારી ડો. શામળા એ મૃત જાહેર કરતા સગર સમાજ માં શોકમાં છવાઈ ગયુ આ તકે આગળ ની તપાસ માળીયા હાટીના પોલીસ ચલાવી રહી છે

Share This Article