જુનાગઢ : માંગરોળમાં વિના મૂલ્યે નેત્ર કેમ્પનુ આયોજન કરવામા આવ્યું

admin
1 Min Read

જુનાગઢ જીલ્લાના માંગરોળ મા આવેલ શ્રીજલારામ બાપા ના મંદિર ખાતે શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિનામુલ્યે નેત્ર કેમ્પ યોજાયો હતો.. આ કેમ્પ મા આવેલા તમામ દર્દીઓની ભોજન પ્રસાદીની વ્યવસ્થા જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. તેમજ આ નેત્ર કેમ્પમા ડોકટર રાજુભાઈ રાઠોડ સાહેબ દ્વારા સેવા આપી આંખ ની તકલીફના ૧૭૫ દર્દીઓની તપાસ કરવા મા આવી હતી.

તેમાંથી ૭૦ જેટલા આંખનાં ઓપરેશનની જરૂરીયાત વાળા દર્દીઓને શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે તેમની સંસ્થાની જ બસ મા જ લઈ જવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓને વિનામૂલ્યે આધુનિક ફેકો મશીન દ્વારા સારા મા સારુ નેત્રમણીથી ઓપરેશન કરવામા આવશે તેમજ ઓપરેશન થયા બાધ તમામ દર્દીઓને કેમ્પના સ્થળે માંગરોળ પરત પહોંચાડવા ની વ્યવસ્થા પણ હોસ્પિટલ તરફ થી કરવામાં આવશે.

Share This Article