જૂનાગઢ : વંથલીના માણાવદર રોડ પરનો બનાવ

admin
1 Min Read

રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યુ છે. બેફામ રીતે વાહન હંકારતા વાહન ચાલકોના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના માણાવદર રોડ પર એક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે કાર ધડાકાભેર રસ્તાની બાજુમાં આવેલ ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે અકસ્માતના પગલે રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

 

 

જેમણે જીજે 12 સીપી 8259 નંબરની કારમાં સવાર ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. ત્યારબાદ ઘાયલોને સારવાર અર્થે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. . બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કાર સવાર વંથલી તાલુકાના રહેવાસી કિશોર ભાઈ નામક વ્યક્તિ હોવાનું જાણવા મળ્યુ છે

Share This Article