જૂનાગઢ : માંગરોળ ખાતે PGVCLની ઘોર બેદરકારીના લીધે સ્થાનિકમાં જોવા મળ્યો રોષ

admin
1 Min Read

વારંવાર PGVCL બાબતે ફરિયાદો સામે આવતી હોઈ છે છેલ્લે રોલ ગોલ ના કારણે છેલ્લે આ રીતે કંભોલ જાનવર મોત ના ભેટે પહોંચતા હોઈ છેજૂનાગઢ જિલ્લાના માંગરોળ ના સાપુર રોડ પર આવેલ લુહાર સોસાયટી પાસે વહેલી સવારે વીજ પાવર માં ઘોર બેદરકારી ના લીધે મૂંગા જાનવર નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ખોળાદા ફીડરના ચાલુ વીજ પોલમાં ચાલુ વાયર થાંભલાને અથડાતા થાંભલામાં શોટ શર્કિટ હોવાના લીધે ખૂટ્યાનું મોત થયું છે. ત્યારે આજુબાજુ માંથી નીકળતા સ્થાનિકો દ્વારા PGVCL માં 10 થી 12 ફોન ની ટ્રાય કરતા ફોન પર વ્યવસ્થિત જવાબના મળતા આજરોજ મૂંગુ જાનવર મોત ના ભેટે ઉતર્યું છે. મહત્વનું છે કે આ ઘટના કોઈ માણસ સાથે બને તો આખરે જવાબદાર કોણ? તે વાત ધ્યાને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો

Share This Article