જુનાગઢ : ભેસાણથી ખજૂરી હડમતીયા વચ્ચે ચાલતા રોડના પેચવર્ક કામને લઈને ગ્રામજનો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો

admin
1 Min Read

જૂનાગઢના ભેસાણથી ખજૂરી હડમતીયા વચ્ચે ચાલતા રોડના પેચવર્ક કામને લઈને પરબ વાવડીના ગ્રામજનો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો.જુનાગઢ જિલ્લા ના ભેસાણ થી ખજૂરી હડમતીયા ગામ તેમજ સુ-પ્રસિદ્ધ પરબધામના રોડ ઉપર PWD દ્વારા પેચવર્ક રોડ કામ 15 લાખના ખર્ચે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા મસમોટા ખાડાઓ ને મૂકી મનફાવે ત્યાં રોડ નું કામ કરતા પરબવાવડી ગામના સરપંચ સહિત લોકો એ PWD ના કર્મચારી સાથે સ્થળ ઉપરજ રકઝક થઇ હતી જૂનાગઢ ભેસાણ પરબધામ રોડ 42 કરોડના ખર્ચે 33 કિલોમીટર રોડ એક વર્ષ થી મંજુર થયેલ છે

તો પણ અત્યારે રોડ નું ખાલી પેચવર્ક નું કામ જ કરવામાં આવી રહ્યું છે, રોડ ની બિસ્માર હલતના કારણે ભૂતકાળમાં અવાર નવાર અકસ્માત પણ સર્જાય છે ત્યારે પરબવાવડી ના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે રોડની બંને સાઇડો સળંગ રીપેરીંગ કરી આપવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્ય માર્ગે આંદોલન કરવાની ગામ લોકો ને ફરજ પડશે

Share This Article