કેશોદમાં નાગદેવતાએ આપ્યા સાક્ષાત દર્શન

admin
1 Min Read

માણેકવાડા ગામે આવેલ માલબાપા તરીકે ઓળખાતા નાગદેવતાના મંદિરે જીલ્લા ભરના શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. કેશોદ તાલુકાના માણેકવાડા ગામે પૌરાણિક અને ઐતિહાસિક માલબાપાનુ મંદિર આવેલ છે. જ્યાં સૌરાષ્ટ્રભરના શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.  અસંખ્ય શ્રદ્ધાળુઓની માનતા પુરી થતી હોય માલબાપાનુ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં ચોત્રીસ વર્ષ પહેલાં તા. 6.6.1976 ના દિવસે નાગદેવતાએ સાક્ષાત દર્શન આપ્યા હતા ત્યાર બાદ તા.10.10.2019  ગઇકાલે સાંજના સાત વાગ્યે નાગદેવતાએ સાક્ષાત દર્શન દીધા હોવાની વાત વાયુવેગે ફેલાતા દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો.

Share This Article