The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Jun 16, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
navratri-and-the-glorious-history-associated-with-amba
The Squirrel > Blog > Navratri 2022 > Navratri Culture > Navratri culture 2023: નવરાત્રી અને માં અંબા સાથે જોડાયેલ છે ભવ્ય ઇતિહાસ! અહી નવરાત્રીની કઈક આમ થાય છે ઉજવણી
Navratri 2022Navratri Culture

Navratri culture 2023: નવરાત્રી અને માં અંબા સાથે જોડાયેલ છે ભવ્ય ઇતિહાસ! અહી નવરાત્રીની કઈક આમ થાય છે ઉજવણી

Subham Bhatt
Last updated: 03/10/2023 11:28 AM
Subham Bhatt
Share
SHARE

Navratri culture 2022: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે, જેનું નવરાત્રિ પર વિશેષ મહત્વ છે. ગુજરાત અને દેશના લાખો-કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમનાં મંદિરની મુલાકાતે રોજ સેંકડો લોકો આવે છે. પાલનપુરથી આશરે 65 કિ.મી.ના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી 45 કિ.મી. અને ગુજરાત-રાજસ્થાન સીમા નજીકના આબુરોડથી માત્ર 20 કિ.મી.નું અંતર ધરાવે છે. ”આરાસુરી અંબાજી” માતાજીના સ્થાનકમાં કોઇ પ્રતિમા અથવા ચિત્રની નહીં ‘શ્રી વિસાયંત્ર’ની પૂજા કરવામાં આવે છે.

અરવલ્લીની ગિરિમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી દરિયાઈ સપાટીથી 1600 ફૂટની ઉંચાઈ પર આવેલ છે. ગબ્બરની ટોચે આવેલા અંબાજી મંદિરે જવા માટે 999 પગથિયાં ચડીને જઇ શકાય છે. માતા શ્રી આરાસુરી અંબિકાના નીજ મંદિરમાં રહેલા શ્રી વિસાયંત્રની સામે હંમેશા અખંડ દીવો પ્રજ્વલિત રહે છે. ગબ્બરની નજીકમાં જ સનસેટ પોઇન્ટ છે, જ્યાંથી સૂયૉદય અને સયૉસ્તનો નજારો જોવા જેવો હોય છે. આ સિવાય પર્વતની ગુફા, માતાજીના ઝૂલા તથા રોપ-વે દ્વારા ટ્રિપની મજા માણવા જેવી હોય છે.

navratri-and-the-glorious-history-associated-with-amba

- Advertisement -

અંબાજી મંદિર નો ઇતિહાસ પ્રમાણે અંબાજી મંદિરમાં એવું માનવામાં આવે છે કે અહીં એક પથ્થર પર માતાના પગ ના નિશાન બનાવવામાં આવ્યા છે. અંબાજીના દર્શન કરીને ભક્તો ચોક્કસ ગબ્બર પર્વત પર જાય છે. ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસે દેવીની પૂજા કરવામાં આવે છે અને અહીં મંદિરની બહાર અદ્ભુત મેળો લાગે છે. મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડે છે ભાદરવી પૂનમના દિવસે લોકો દૂર-દૂરથી પગપાળા આવે છે. આ દિવસે અંબાજીનગર ને દિવાળીની જેમ રોશનીથી શણગારવામાં આવે છે.

પોષ મહિનાની પૂનમ જગતની જનની મા અંબાનો પ્રાગટ્યનો દિવસ છે. અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ એક રહસ્ય પણ ઘટના સમાન છે. વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને જીવોને જીવવું દુષ્કર્મ બની ગયો હતો. માનવ જીવ પશુ પંખીઓ ભૂખે ટળવળતા હતા. ત્યારે બધાએ હૃદય પૂર્વક માતાજીને અર્તનાદ થી પ્રાર્થના કરી અને માતાજીને પ્રસન્ન કર્યા. માતાજીની કૃપા ઉતરીને, દુષ્કાળની ધરતી જે સુખી ભટ્ટ બની હતી. ત્યાં મા અંબાની કૃપાથી અઢળક શાકભાજી અને ફળ ઉત્પન્ન થયા. બસ ત્યારથી માતાજીનું નામ શાકંભરી પડ્યું હતું અને એટલે જ પોષ માસની આ પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.

- Advertisement -

navratri-and-the-glorious-history-associated-with-amba

બીજી એક કથા પ્રમાણે માં સીતાજીની શોધ કરતાં શ્રી રામ અને શ્રી લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. શ્રી રામ અને શ્રી લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય નામનું એક બાણ આપ્યું જેનાથી શ્રી રામે રાવણનો નાશ કર્યો. આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણ થીયે જુના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે. અને રૂક્મણિએ આ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે.

- Advertisement -

આ ઉપરાંત અન્ય એક દંતકથા મુજબ દક્ષ રાજાની પુત્રી સતી પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતા સત્ય પોતાની જાતને યજ્ઞ કુંડમાં હોમી દીધી હતી. ભગવાન શંકર એ સતિના મૃતદેહની પોતાના ખભા પર લઈને તાંડત્ર નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ શરૂ કરી દીધું હતું દેવોની વિનંતી છે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગનો વિચ્છેદ કર્યો હતો. આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાંઓ જુદી જુદી 51 જગ્યાએ પડ્યા હતા અને અલગ અલગ 51 શક્તિપીઠ રૂપે પ્રસ્થાપિત થયેલ છે. તંત્ર ચુડામણીમાં આ બાવન મહાપીઠનો ઉલ્લેખ છે તે પૈકી આરાસુરીમાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાની માન્યતા છે તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે.

અંબાજીમાં વર્ષે ચાર વખત નવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જે પૈકી શરદ (આસો), વસંતિક (ચૈત્ર), મહા અને અષાઢમાં નવરાત્રી ઉજવાય છે, જેમાં શક્તિ સંપ્રદાયની રીત-રસમો અનુસાર યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે. શક્તિ સંપ્રદાય પ્રમાણે વસંતિક નવરાત્રીના તમામ આઠ દિવસ અને નવ રાત્રીનું વિશેષ મહત્વ છે, તેથી જ ચૈત્ર માસના પ્રથમ દિવસે ગર્ભ દીપના વાસણ ઉપર જ્વારા વાવીને ઉજવણીઓ શરૂ કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીમાં શ્રધ્ધાળુઓ આ ગર્ભ દીપની ફરતે નૃત્ય કરે છે, તેમજ આરાસુરી અંબાજીના ગરબા ગાય છે.

- Advertisement -
- Advertisement -

navratri-and-the-glorious-history-associated-with-amba

છેલ્લાં 60 વર્ષથી ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન દિન-રાત જય અંબેમાં જય અંબેની અખંડ ધૂન ચાલે છે. દર વર્ષે ખાસ કરીને પૂનમના દિવસોએ અંબાજી માતાના મંદિરમાં ભાવિકભક્તોનો માનવ સાગર ઊમટી પડે છે. અંબાજી નગરમાં ગબ્બર પર્વતની ટોચે આવેલા અંબાજી માતાના મંદિરે નવા વિક્રમ સંવત વર્ષના પ્રારંભના પાંચ દિવસ (કારતક સુદ એકમથી પાંચમ) માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. આ પાંચેય દિવસ મંદિરમાં માતાજીના આશીર્વાદ મેળવવા કુલ 10થી 15 લાખ દર્શનાર્થીઓ આવે છે.

પોષ સુદ પૂનમના દિવસે અંબાજીમાં માતાજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. ચૈત્રી નવરાત્રીના દિવસોમાં અંબાજીમાં ભક્તિનો સાગર ઉમટી પડે છે. શ્રાવણ વદ તેરસ અને અમાસે ગુજરાતના વિવિધ ભાગમાંથી લોકો અંબાજીના દર્શન કરવા આવે છે. ભાદરવી પૂનમે અંબાજીમાં ભવ્ય મેળો યોજાય છે, જે ગુજરાતમાં યોજાતો સૌથી વિશાળ મેળો છે. આ મેળાના સહેલાણીઓની સંખ્યા સામાન્ય રીતે 20 લાખની રહેતી હોવાનો અંદાજ છે. આસો સુદ નવરાત્રીના નવ દિન મંદિરના ચાંચરચોકમાં ગરબા-રાસની રમઝટ જામે છે.

- Advertisement -

નવરાત્રિના આઠમા દિવસે અંબાજી મંદિરમાં દાંતા દરબાર મોટો યજ્ઞ કરે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સાથ અને સહકારથી અંબાજીનાં ધાર્મિક સંગઠનો દ્વારા જન્માષ્ટમી, દશેરા, અષાઢ સુદ બીજની રથયાત્રા જેવા પવિત્ર હિંદુ તહેવારો ધામધૂમપૂર્વક ઊજવવામાં આવે છે. અંબાજીમાં આવેલા શીતળામાતાના મંદિર પણ શીતળા સાતના દિવસે મેળો યોજાય છે.

You Might Also Like

દક્ષિણ ભારતીયો દ્વારા ગોલુની નવરાત્રી પરંપરા કેવી રીતે ઉજવવામાં આવે છે?

Navratri culture 2022: ચોટીલામાં હવન કુંડમાંથી તેજ સ્વ રૂપે પ્રગટ થયા હતા મહાશકિત! જાણો કેવો છે ઇતિહાસ

માત્ર 8 વર્ષની મૈત્રી જોશી છે મિનિ પંડિત! વડોદરાની આ બાળકી તેના ટેલેન્ટ વિષે શું કહે છે જાણો

ભારતીય ટેક સીઇઓ ટ્વિટર, મેટા, સ્પોટાઇફ દ્વારા કાઢી મૂકવામાં આવેલા હજારો કર્મચારીઓને નોકરીની ઓફર કરી! કહ્યું: ‘ઘરે પાછા આવો’

પોકસોએ એક બિનસાંપ્રદાયક કાયદો! સુપ્રીમ કોર્ટે 16 વર્ષીય મુસ્લિમ યુવતીના લગ્ન મામલે આપ્યો ચુકાદો

TAGGED:ambaji templebanaskanthagujarati newslatest newsnavratri celebrationnavratri culture
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય
ધર્મદર્શન 16/06/2025
આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 16/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
WhatsApp યુઝર્સના અનુભવમાં થશે ફેરફાર, ચેટિંગ-કોલિંગ ફીચરમાં થયો મોટો ફેરફાર
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે
સ્પોર્ટ્સ 14/06/2025
- Advertisement -

You Might Also Like

Vagh Baras 2022: What is Vaghbaras? How to celebrate: Here is the complete information
Vagh BarasDiwali 2022

Vagh Baras 2022: વાઘબારસ શું છે? કેવી રીતે કરવામાં આવે છે ઉજવણી: આ રહી સમગ્ર માહિતી

2 Min Read
Why Sharad Purnima is considered special, you too its importance in mythology! Know complete information
Uncategorized

શા માટે શરદ પૂર્ણિમા વિશેષ માનવામાં આવે છે, તમે પણ પૌરાણિક કથાઓમાં છે તેનું મહત્વ! જાણો સમગ્ર માહિતી

4 Min Read
Navratri culture 2022: Bhavnagar's 300-year-old heritage! Even today it is performed in Navratri
Navratri Culture

Navratri culture 2022: ભાવનગરની 300 વર્ષ જૂની ભવાઈ! નવરાત્રીમાં આજે પણ ભજવાય છે

5 Min Read
Navratri Celebration 2022: Sportsmen dressed in patriotic colors in Gandhinagar: Sportsmen paraded with 1551 feet long tricolor
Navratri Celebration

Navratri Celebration 2022: ગાંધીનગરમાં દેશભક્તિના રંગમાં રંગાયા ખેલૈયાઓ: 1551 ફૂટ લાંબા ત્રિરંગા સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમયા

2 Min Read
Navratri culture 2022: Navratri has been celebrated in a unique way in Amreli for 150 years! Know how is the culture here
Navratri Culture

Navratri culture 2022: અમરેલીમાં 150 વર્ષથી અનોખી રીતે ઉજવાય છે નવરાત્રી! જાણો કેવું છે અહીનું કલ્ચર

4 Min Read
international-navratri-in-gujarat-foreign-students-protested-in-the-garba-of-parul-university
Navratri Celebration

Navratri Celebration 2022: ગુજરાતમાં ઇન્ટરનેશનલ નવરાત્રી! પારૂલ યયુનિવર્સિટીના ગરબામાં વિદેશી વિદ્યાર્થીઓએ હિલોળે ચડ્યા

2 Min Read
fasting-on-navratri-so-definitely-make-this-sabudana-dish
Navratri Recipe

Navratri Recipe 2022: નવરાત્રીના ઉપવાસ કરો છો? તો સાબુદાણાની આ વાનગી ચોક્કસ બનાવો

1 Min Read
The fifth day of Navratri is dedicated to Mother Skandamata, know the worship method and story
Navratri Puja

Navratri Puja 2022: નવરાત્રિનો પાંચમો દિવસ માતા સ્કંદમાતાને સમર્પિત છે, જાણો પૂજા પદ્ધતિ અને કથા

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel