ઊંઝામાં નવી પહેલ કરવામાં આવી રહી છે. ઊંઝામાં સામાજિક રીતરિવાજને નવી દિશા આપીને સેવાકીય કાર્યો કરતી સંસ્થાને આર્થિક મદદ કરવાની પહેલ ઊંઝા ગામના પટેલ બાબુલાલ કચરાદાસના પરિવાર દ્વારા કરવામાં આવી છે. ઊંઝામાં શારીરિક તેમજ માનસિક દિવ્યાંગ બાળકોનું ડે કેર સેન્ટર માનવ મંદિર તેમજ જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા દર્દીઓ માટે કમલેશ પી.કે પટેલ ઓક્સિજન સેન્ટર ચલાવી સમાજ માટે જે સંસ્થા હરહમેશ ઉપયોગી બનતી હોય છે તેવી સંસ્થા પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ હિંમતનગરને ઊંઝાના પટેલ મહેશ કુમાર બાબુલાલ તેમના પુત્રના લગ્નનો ચાંદલો ૮૫ હજાર રૂપિયા દાનમાં આપી તેમના સેવાકીય પ્રોજેક્ટમા સહકાર આપે છે. સમાજમાં આ રીતે સેવાનો સંદેશ આપવો એ એમના પરિવારની આગવી ઓળખ બની ગઇ છે. ઉલ્લેખનીય છે તે આ અગાઉ પણ આ પરિવારની દીકરીના લગ્ન પ્રસંગે બે લાખ કરતાં વધારે આ બે સંસ્થાને અર્પણ કરવામાં આવ્યા હતા.
ઊંઝામાં જોવા મળી નવી પહેલ
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment