સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આવેલું અને મહારાજાએ બનાવેલું રાણી તળાવમાં બ્યૂટિફિકેશન માટે કરવામાં આવેલા ખર્ચ પાણીમાં ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. અહીં ઈડર નગરપાલિકા દ્વારા રાણી તળાવને રળિયામણું બનાવવા માટે એક કરોડથી વધુ રકમ ફાળવાઈ હતી. અહીં બનાવવામાં આવેલા નવા બાંધકામને તોડી પડાયું હતું. જેનું લોકાર્પણ કરાયું ન હતું તેવા બાંધકામને તોડી પડાતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતું.રાણી તળાવ પર ઊભા કરાયેલા બાંધકામને હથોડા વીંઝીને તોડી પડાયું હતું. તોડી પાડવા માટે સ્થાનિક તંત્ર દ્વારા વધુ વરસાદને જવાબદાર ઠેરવ્યોહતો. વધારે પડતા વરસાદને કારણે જમીન બેસી જતા નવા બાંધકામને તોડાયું હોવાનો સત્તાધીશો બચાવ કરી રહ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -