Connect with us

છોટાઉદેપુર

ડભોઈ નોબલ પબ્લિક સ્કૂલમાં જન્માષ્ટમીનું આયોજન , વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમ યોજ્યા…

Published

on

–  દેશભરમાં જન્માષ્ટમીને લઈને મંદિરોમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં પણ વિવિધ મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. જોકે, જન્માષ્ટમી પર્વ પર સ્કુલો-કોલેજોમાં રજા હોવાથી શુક્રવારના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઈ ડભોઈ નોબલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત નોબલ પબ્લિક સ્કુલ કેમ્પસ ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી કૃષ્ણના જન્મોત્સવનો ભવ્ય કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.

 

 

 

 

જેમાં મટકી ફોડ, ડાન્સ, રાસ-ગરબા સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોરજુ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ડભોઇ ખાતે નોબલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત નોબલ પબ્લીક સ્કૂલ સંકૂલ ખાતે ધોરણ 1 થી 9 ના વિદ્યાર્થીઓમાં હિન્દુ ધર્મના તહેવારોનું જ્ઞાન મળે અને તહેવારોની ઉજવણીનું મહત્વ સમજી શકે તે હેતુથી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયુ હતું. જેમાં આચાર્ય નિલેષભાઈ માયાવત, નયનાબેન પરમાર, તેમજ શાળા સંચાલક એ.એ.માધવાણીની ઉપસ્થીતીમાં દીપપ્રાગટ્ય કરી આરતી કરી મટકી ફોડ, રાસ, ગરબા, ડાન્સ, સહિતના વિવિધ સાંસ્કૃતીક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

 

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

છોટાઉદેપુર

છોટાઉદેપુર : બોડેલી નજીક આવેલ એક મકાનમાં લાખોની ચોરી, તસ્કરો ચોરી કરી ફરાર

Published

on

બોડેલી નજીક આવેલ નર્મદા મુખ્ય કેનાલ પાસે વ્રજભૂમિ સોસાયટીની સામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના, ટીવી સહિત રોકડ મળી કુલ ૧,૮૫,૦૦૦ મત્તાની ચોરી કરી રફુચક્કર થતા નગરમાં ભારે ચકચાર મચી જવા પામી છે

મળતી માહિતી મુજબ બોડેલી – ડભોઇ રોડ પર આવેલ આઈ.ડી.બી.આઈ બેંકની બાજુમાં રહેતા ચિન્ટુભાઈ ગીરધાલીલાલ વર્મા પોતાના મકાન નીચે જય અંબે ઓટો ગેરેજ ચાલવી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે તેઓનું નવું મકાન બોડેલી નજીક આવેલ નર્મદા મુખ્ય કેનાલ પાસે બનાવેલ હોય તેઓની માતા ત્યાં રહેતા હતા અને તેઓની માતા ગત જુલાઈ મહિનામાં પડી જતા તેઓની ઈજા થતાં હાથ ફેક્ચર થયો હતો ત્યારે પુત્ર ચિન્ટુ તેઓના જુના ઘરે રહેવા લઈ આવેલ અને ત્યાર બાદ નવું મકાન બંધ રહેતું હતું ત્યારે ગત ૧૫-૮-૨૨ ના રોજ પરિવારજનો તપાસ કરવા જતાં દરવાજો લોક હોઈ અંદર ખોલીને પ્રવેશ કરતા કિચનના ભાગે લોખડની જળીના સળિયા તૂટેલી હાલતમાં હતી અને ત્યાર બાદ રૂમમાં મુકેલ લાકડાનો પેટી પલંગ અને તિજોરી ખુલા હતા અને સામાન વેરવિખેર હતો, તસ્કરોએ ટીવી જેની કી રૂ ૮૦૦૦ તેમજ ચાંદીની ઝાંઝર જેની કી રૂ ૧૦,૦૦૦ તેમજ ચાંદીના કડા જેની કી રૂ ૧0000 તેમજ ચાંદી કંદોરો જેની કી રૂ ૧૨,૦૦૦ તેમજ બે સોનાની અંગૂઠી જેની કિંમત રૂ 30 હજાર  તેમજ એક સોનાની ચેન જેની કિંમત રૂ 1 લાખ તેમજ અંજાદિત 15000 રોકડા મળી કુલ 1,85,000 ની મતાની ચોરી તસ્કરો રફુ ચક્કર થયા હતા જ્યારે બનાવને લઈ બોડેલી પી.એસ.આઇ એ.એસ સરવૈયા તેમજ સ્ટાફ ના પોલીસ કર્મીઓ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે ચિન્ટુભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બનાવને લઈ નગરમાં ચકચાર મચી જવા પામી છે

Continue Reading

છોટાઉદેપુર

મેહુલ બોઘરાના સમર્થનમાં બોડેલી બાર એસોસિએશને આવેદન આપ્યું

Published

on

સુરત ખાતે વકીલ મેહુલ બોધરા પર ટીઆરપી સુપરવાઇઝર જીવલેણ હુમલો કર્યો હતો ત્યારે બોડેલી બાર એસોસિએશનએ આ ઘટનાને વખોડી નાખી તાલુકા સેવાસદન પાસે ભારે સુત્રોચાર કર્યા હતા અને બોડેલી ડેપ્યુટી કલેકટર મારફતે મહા મહિમ રાજ્યપાલ મહોદયને આવેદનપત્ર પાઠવ્યું છે

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સુરત બાર એસોસિએશનના વકીલ મેહુલ બોધરા ઉપર સુરત સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જાહેર રોડ ઉપર પોલીસની હાજરીમાં ટીઆરપીના જવાનો દ્વારા વકીલને મારી નાખવાના ઈરાદા થી ઘાતક હુમલો કરી કાયદાના રક્ષકોએ પોતે કાયદો હાથમાં લઇ અમારા સુરતના વકીલને ગંભીરતા પહોંચાડે લ હોઈ જે બાબતને અમે બોડેલી બાર એસોસિએશન સખત શબ્દોમાં વખોડી નાખે છે આવા અસામાજિક તત્વોથી રક્ષણ મળે તે હેતુથી બોડેલી બાર એસોસિએશન આ રાજ્ય સરકારના પ્રતિનિધિને આવેદનપત્ર આપી માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ગુજરાત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવો જોઈએ તે માટે ગુજરાત રાજ્ય સરકારને  આવેદન આપવાની જરૂર પડેલ છે બોડેલી બાર એસોસિએશન દ્વારા તા ૨૩/૦૮/૨૨  ના રોજ આ બાબતનો ઠરાવ કરી અને રાજ્ય સરકારને મોકલવા સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે આ બાબતે મહા મહિમ રાજ્યપાલને આવેદન બોડેલીના ડેપ્યુટી કલેક્ટર શ્રી મારફતે આવેદનપત્ર પણ આપે છે અને આ ઘટનાએ માત્ર વકીલ ઉપરનો હુમલો નથી પરંતુ લોકતંત્ર પર પણ હુમલો છે તેમજ સામાન્ય જનતા આ ઘટનાથી ખૂબ ભયભીત થઈ ગયેલ છે કારણ કે વકીલ જેવા જાગૃત નાગરિક ઉપર જીવલેણ હુમલો માત્ર ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી વિરુદ્ધ પોતાનું ભારતના નાગરિક હોવાની ફરજ અને મહાત્મા ગાંધી અને બાબા આંબેડકર ઉપદેશોનું પાલન કરતાં તેઓએ આવી ઘટક પરિસ્થિતિનું ભોગ બનવું પડેલ છે જેથી બોડેલી બાર એસોસિયેશનની વિનંતી કે રાજ્યની કથડેલી કાયદો અને વ્યવસ્થા નો એક ઉદાહરણ છે શર્મા નાક ઘટનાને અમે બોડેલી બાર એસોસિએશન ના વકીલ મિત્રો ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને ફરીથી આવો બનાવ ન બને તે માટે રાજ્ય સરકાર અને રાજ્યનો કાયદો વિભાગ તથા પોલીસ મહાનિદર્શક તરફથી જરૂરી સૂચનાઓ આપી તેનો અમલ કરવા જરૂરી સુચના આપવા જે તે કંસેટ જિલ્લા પોલીસ વડા ઓએ પણ જાણ કરવા હાલનું આવેદન પત્ર આપી હાલની આ સુરત ની ઘટનાને ગંભીરતાથી બોડેલી બાર એસોસિએશનના તમામ વકીલો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ

Continue Reading

છોટાઉદેપુર

છોટાઉદેપુર : બોડેલીના અલીખેરવા વિસ્તારમાં તંત્રએ ખાડા પુરવામાં વેઠ ઉતારી

Published

on

બોડેલીના અલીખેરવા વિસ્તારમાં રસ્તાઓ પર કીચડ તેમજ ખાડાના કારણે લોકોને હાલાકી પડી રહી હતી ત્યારે સમગ્ર અહેવાલ મડિયામાં પ્રસિદ્ધ થતા તંત્ર સફાળું જાગ્યું હતું પણ તંત્રે જાણે કામગીરીમાં વેઠ ઉતારી હોઈ તેમ વ્યવસ્થિત કામગીરી  ન કરતા અકસ્માત ઝોન બનાવી દીધું હોઈ તેમ લાગી રહ્યું છે

બોડેલી તાલુકામાં આવેલ અલીખેરવા વિસ્તારના ગોપાલ ટોકીઝથી રાજખેરવા સહિત દિવાળી બા પાર્ક સોસાયટી સહિત મણિનગરના રસ્તા પર ખાડા પડતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સોસાયટીના અનેક માર્ગ પર કાદવ – કીચડ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈ સ્થાનિક સહિત વાહનચાલકોને ગંદકી ભર્યા રસ્તેથી પસાર થવાનો વારો આવ્યો છે આ ઉપરાંત લોકો સહિત ખેડૂતો પણ આ રસ્તાનો ઉપયોગ કરતા હોઇ છે ત્યારે ઘણીવાર વરસાદી પાણી ખાડામાં ભરાતા નજર ન પડતા  લોકોને જીવન જોખમે પસાર થવાનો વારો આવ્યો છે ત્યારે આ સમગ્ર બાબતને લઈ મડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું હતું અને રસ્તાઓ પર ખાડા પુરવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ તંત્રની કામગીરીથી રહીશો દુકાનદારો તેમજ વાહનચાલકો સંતુષ્ટ નથી તેમ લાગી  રહ્યું છે કારણકે તંત્રેએ કામગીરીમાં માત્ર ઇટો સહિત પથરા નાખી ખાડા પુરી સંતોશ માન્યો છે પણ તંત્રએ ખાડા એવા પૂર્યા જાણે કે બમ્બ બનાવી દીધો જેને લઈ વાહનચાલકો તેમજ લોકોને મુશ્કેલી વેઠવાનો આવ્યો છે અને જો રાત્રીના સમયે વાહન ચાલકને આ ઇટો અથવા પથ્થર ન દેખાય તો ચોક્કસ પણ અકસ્માત સર્જાશે તેમ લાગી રહ્યું છે તંત્ર દ્વારા વેઠ નહિ વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે

Continue Reading
Uncategorized5 hours ago

વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમને આપી ખાસ ભેટ, જાણો તેના વિશે; વિદેશ સચિવે આ વાત કહી

Uncategorized5 hours ago

77 વર્ષથી કરી બોડી બિલ્ડીંગ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ, 90 વર્ષની ઉંમરે પણ અદભૂત ફિટનેસ

Uncategorized6 hours ago

જીમમાં જનારા ડોગ ફૂડ કેમ ખાય છે? તેની પાછળનું કારણ ખૂબ જ વિચિત્ર છે

Uncategorized6 hours ago

PM મોદી પર ટિપ્પણી: પવન ખેડા સામેના તમામ કેસ લખનૌ ટ્રાન્સફર, વચગાળાના જામીન 10 એપ્રિલ સુધી લંબાયા

Uncategorized6 hours ago

કેરળને મળી તેની પ્રથમ ટ્રાન્સજેન્ડર વકીલ, પદ્મા લક્ષ્મીએ એક ઉદાહરણ સેટ કર્યું

Uncategorized6 hours ago

ગુજરાતની ફરી ધ્રૂજી ધરતી, કચ્છ જિલ્લામાં આટલી તીવ્રતાનો આવ્યો ભૂકંપ

Uncategorized6 hours ago

દર મહિને 3000 રૂપિયા, 2.5 લાખ નોકરીઓ અને 10 લાખ નોકરીઓ; રાહુલ ગાંધીએ કર્ણાટકના યુવાનોને વચન આપ્યું

Uncategorized6 hours ago

મેચ દરમિયાન યુવકને આવ્યો હાર્ટ એટેક, ક્રિકેટ ગ્રાઉન્ડમાં 45 દિવસમાં 8મું મોત

Uncategorized3 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized3 weeks ago

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

ગુજરાત4 weeks ago

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

Uncategorized3 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

Uncategorized3 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

ભૂકંપ પ્રભાવિત તુર્કીથી સ્વદેશ પરત આવેલી સેનાની મેડિકલ ટીમનું સ્વાગત, આર્મી ચીફે કર્યા ખુબ વખાણ

ગુજરાત4 weeks ago

સગીરને ‘આજા આજા’ કહેવું જાતીય સતામણી છેઃ મુંબઈ કોર્ટ

Uncategorized3 weeks ago

ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે

Trending