પાટણ- હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કાર્યક્ર્મને લઈ પત્રકાર પરિષદ યોજાઇ

Subham Bhatt
1 Min Read

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાનાર કાર્યક્રમને પત્રકાર પરિષદ યોજાઈ હતી.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાતયુનિવર્સિટીના વહીવટીભવન ખાતે આજે યુનિવર્સિટીના રજીસ્ટાર પ્રો. રોહિતભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સયોજાઇ. જેમાં આગામી ૨૭મી તારીખે યુનિવર્સિટી ખાતેના કન્વેન્શન હૉલ ખાતે યોજાનાર ગોલ્ડમેડલ એવોર્ડ વિતરણ સમારંભની માહિતી આપતા પ્રો. રોહિતભાઈ દેસાઇએ જણાવ્યું હતું

Patan- A press conference was held regarding the program of Hemchandracharya University

મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સ્વામિનારાયણ સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામી તેમજ કેળવણીકાર ડૉ.મફતલાલ પટેલને ડી. લિટ. પદવીથી સન્માનિત કરવાનું જણાવ્યું હતું. સાથે સાથે વિવિધ વિધ્યાશાખાના ૩૮ વિધ્યાર્થીઓને ગોલ્ડમેડલ આપી સન્માનિત કરાશે. આ કાર્યક્રમમાંગુજરાતનાં આરોગીમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પાટણના લોકપ્રિય સાંસદ ભરતસિંહ ડાભી, શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલા તેમજ પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ અને કુલપતિ શ્રી પ્રો. જે. જે. વોરા ઉપસ્થિત રહેશે.

Share This Article