પીરવડ ગામનાં કુવામાં મળી લાશ

admin
1 Min Read

જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પીરવડ ગામમાં સંતરામપુર ગામના ભુડાભાઈ ભાભર પરપ્રાંતીય ખેતમજુરી કરવા માટે આવ્યા હતા. તેમની પુત્રી ઈન્દીરાબેનની લાશ કુવામા તરતી દેખાતા વાડી માલીક દ્વારા ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક સરપંચ સહીત લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ તંત્રને જાણ કરતા આ લાશને કુવામાથી બહાર કાઢી સરકારી હોસ્પિટલે પી.એમ માટે મોકલવામાં આવી હતી. પ્રાથમિક વિગતો અને સરપંચ દ્રારા જાણવા મળતા આ પરિવાર રોજીરોટી કમાવવા અર્થે ખેતમજુરી કરતુ હતું. તેમની ઈન્દીરા નામની યુવતી બે દિવસથી ઘરેથી લાપતા હતી. કુદરતી હાજતે જવાનુ કહી આ છોકરી જતી રહી હતી. બન્ને બેહનો વચ્ચે ઝગડો થતા ઈન્દીરાને માઠુ લાગતા તેને કુવામાં ઝપલાવી મોતને વાહલુ કર્યુ હોય તેવુ સુત્રો દ્રારા જાણવા મળ્યું છે.

 

Share This Article