સાબરકાંઠાના હિંમતનગરના નવા બજાર પાસે કુતરાને બચાવવા જતા એક રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. રીક્ષા પલટી ખાતા રીક્ષામાં સવાર છ લોકોને નાની-મોટી ઈજા થવા પામી હતી. મળતી માહિતી મુજબ, હિંમતનગરના નવા બજાર પાસે મુસાફરોથી ભરેલ એક રીક્ષાને અકસ્માત નડ્યો હતો. રસ્તામાં કુતરુ વચ્ચે આવી જતા રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે રીક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર છ લોકોને નાની-મોટી ઈજા થવા પામી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. જેમણે રીક્ષામાંથી ઘાયલોને બહાર કાઢ્યા હતા. ઘાયલો પૈકી બે લોકોને ગંભીર ઈજા થવા પામી હતી જેના કારણે તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, સ્થાનિક લોકોએ રીક્ષાને રોડની સાઈડમાં કરીને ટ્રાફિક રાબેતા મુજબ શરુ કરાવ્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
