અમરેલી જિલ્લાના ધારીના હરીપરાના ખેડૂતની વાડીમાથી સોલાર પ્લેટોની ચોરી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના ધારીના હરીપરાના રહીશ ઘનશ્યામભાઈ પોપટભાઈ સોજીત્રાની સરસીયાની સીમમાં રેવન્યુ વિસ્તારમાં વાડીએ તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ વિશે આ બનાવના આજે આઠ દિવસ વીતી ગયા બાદ પણ કોઈ તસ્કરોની માહિતી મળેલ નથી. આ ચોરીના બનાવની ઘનશ્યામભાઈએ ધારી પોલિસમાં અરજી કરેલ છે કે, મારી સરસિયાની સીમા વાડીએથી સોલારની 20 પ્લેટ અને એક સ્ટાર્ટરની ચોરી થયેલ છે.
ઘનશ્યામભાઈ એવું જણાવેલ છે કે, ધારી પોલિસ દ્વારા વહેલી તકે મારી એફ. આઇ. આર લઈને ચોરની તપાસ કરીને મારુ મુદ્દામાલમને વહેલી તકે મળે એવી વિનંતી કરાઈ છે. ચોરીની ઘટનાને અઠવાડિયું વીત્યા બાદ પણ હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા તસ્કરોનું પગેરું નથી મેળવી શકી કે હજુ અરજીના આધારે જ તાપસ કરી રહી હોય તે અંગે વાડી માલિક દ્વારા પોલીસ તંત્રને અનુરોધ કરીને વહેલી તકે પોલીસ ફરિયાદ નોંધી ને તપાસ કરવાની માંગ કરાઈ છે.
અમરેલી-ખેતરમાં લાગેલ સોલાર પ્લેટની ચોરી
Leave a comment
Leave a comment