સુરેન્દ્રનગર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ધૂળની ડમરીઓએ સમસ્યા વકરી રહી છે અને પ્રજા ને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થાય તેવી હાલો થવા પામી છે આ બાબતે સીનીયર સીટીઝન મંડળ દ્વારા જણાવ્યું હતું કે શહેરમાં ઊડતી ધુળ ની ડમરીઓ ને લઈને સાંજના સમયે વિઝિબિલિટી પણ ઓછી થઈ જાય છે સામે વાહન આવતા હોય તો જોવામાં પણ મુશ્કેલી પડે એટલી સમસ્યા છે ત્યારે પ્રદૂષણ નિયમન અધિકારીઓ કે અન્ય કોઈ અધિકારીઓનું ધ્યાન નહીં હોય તેમજ પાલિકા દ્વારા પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે ત્યારે આ સમસ્યા થોડા સમય પૂરતી જ હલ થાય છે આનો કાયમી નિકાલ કરવો જરૂરી છે તેમ જ પાલિકા દ્વારા પાણીનો છંટકાવ કરવાથી એક તરફ સુરેન્દ્રનગરમાં લોકોને પીવા વાપરવાના પાણીની તંગી છે ત્યારે રસ્તા ઉપર પાણીનો છંટકાવ પણ પાણીનો દુરુપયોગ થતો હોવાનું અને આ બાબતે નક્કર પગલા લઈ રોડ-રસ્તાના કામ યોગ્ય કરવા સિનિયર સિટિઝન દ્વારા જણાવાયું હતુ તેમજ આ બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારાઇ હતી.
ચારે બાજુ ધૂળની ડમરીઓથી પ્રજા પરેશાન
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.