મહેસાણા-મહેસાણાની રાધનપુર ચોકડી પર બસની ટક્કરે યુવકનું મોત

Subham Bhatt
1 Min Read

મહેસાણા શહેરના રાધનપુર સર્કલ નજીક સોમવાર બપોરે અમદાવાદથી રાજસ્થાનના પાલી જઇરહેલી બસે પરપ્રાંતિય યુવકને અડફેટે લેતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતનીઘટનાને લઇ બસમાં સવાર મુસાફરો રખડી પડ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક યુવક યુપીથી ટ્રેનમાં બેસી નોકરી અર્થે અમદાવાદ જઇ રહ્યો હતો. જોકે, તે મહેસાણા રેલવે સ્ટેશન ઉતરી ગયો હતો.

Young man killed in bus collision at Mehsana-Mehsana's Radhanpur intersection

મહેસાણા શહેરના રાધનપુર સર્કલ પાસે બીએપીએસ સ્વામિનારાયણમંદિરની સામે સોમવાર બપોરે વિપત બાલચંદ સરોજ (રહે.પ્રધાનપુર, જિ.જોનપુર, યુપી) ઉભોહતો. તે દરમિયાન અમદાવાદથી પાલી (રાજસ્થાન) જઇ રહેલી બસ (RJ 14 PD 4295)એ ટક્કરમારી હતી. જેમાં ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં બીડિવિઝન પોલીસે દોડી આવી મૃતદેહને પીએમ અર્થે સિવિલમાં ખસેડ્યો હતો. પોલીસે બસચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

Share This Article