સાબરકાંઠા-તલોદ નજીક પસાર થતાં મોડાસા અમદાવાદ  હાઇવે ગમખ્વાર અકસ્માત

Subham Bhatt
1 Min Read

રાજ્યમાં છેલ્લા બે દિવસથી અકસ્માતમાં મોતના બનાવ વધ્યાં છે. સોમવારે મોડાસા-અમદાવાદ હાઈ-વે પર મોડાસા-દહેગામ રૂટની ગુજરાત એસટીની મિનિ બસ અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પિતા-પુત્ર અનેભત્રીજો એમ એક જ પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે મોત થયા હતા. અકસ્માતમાં 4થી વધુ લોકોને ઈજા પહોંચતાસારવારાર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લામાં મોડાસા-અમદાવાદ હાઇવે પરતલોદ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તલોદના દેગમાળ તળાવ પાસે ગુજરાત એસટીની GJ 18 Z 2939 નંબરની મિનિ બસ અને GJ 02 CA 1812 નંબરની અર્ટિકા કાર સામસામે ધડાકાભેર અથડાયા હતા

Accident at Modasa Ahmedabad Highway near Sabarkantha-Talod

જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. મૃતકમાં ઝાલા વકતુસિંહ લક્ષણસિંહ, ઝાલા આદરસિંહલક્ષ્મણસિંહ, ઝાલા જેસલસિંહ બચૂસિંહનું ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતના બનાવને પગલે હાઈવે પરટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાસ્થળે આસપાસથી સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા  હતા. ત્યારબાદ લોકોએ ઘટનામાંભોગ બનેલા ચારથી વધુ ઇજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવારાર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવની તલોદ પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે દોડી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article