સાબરકાંઠા-પ્રાંતિજ ખાતે બ્રહ્માણી માતાજી મંદિરનો પાટોત્સવ ઉજવાયો

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે આવેલ સુપ્રસિદ્ધ  શ્રી બ્રહ્માણી માતાજી મંદિર ખાતે પાંચમો પાટોત્સવ યોજાયો  હતો જેમાં હવન પુજા સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. પ્રાંતિજ નાનીભાગોળ ખાતે આવેલ સુ પ્રસિદ્ધ પૌરાણિક શ્રી બ્રહ્માણી માતાજીના મંદિર ખાતે પાંચમો પાટોત્સવ યોજાયો હતો જેમાં મંદિર ના વિશાળ ચોકમાં યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું

Patotsav of Brahmani Mataji temple was celebrated at Prantij

જેમાં હવન ના યજમાન ભાવેશ કુમાર નવિનભાઇ પટેલ દ્રારા ધર્મ લાભ લીધો હતો પ્રાંતિજ ખાતે રહેતાં પટેલ સમાજનાં ભાઇ- બહેનો સહિત તાલુકામાંથી પટેલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી જયારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી બ્રહ્માણી માતાજી માઇ મંડળ તથા મંદિર વ્યવસ્થા સ્થાપકો  દ્વારા કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે સાંસદ દિપસિંહ રાઠોડ  , કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી

Share This Article