ઈડર ખાતે રથયાત્રા પહેલા જીલ્લા પોલીસ વડાની ઈડર કોલેજ ખાતે શાંતી સમિતિની બેઠક યોજાઈ

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના    ઈડર ખાતે ભગવાન જગન્નાથની ૨૪ મી રથયાત્રા પહેલા જીલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરનો નાથ અષાઢી બીજે નગર ચર્ચાએ નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતી પુર્ણ માહોલમાં પુર્ણ થાય તેને લઈ ઈડર કોલેજ ખાતે શાંતી સમિતિની એક બેઠક યોજાઈ હતી

A meeting of the peace committee was held at Eder College of the District Police Chief before the Rathyatra at Eder.

કોરોના મહામારીનાં બે વર્ષ પછી નગરનો નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગર ચર્ચાએ નીકળશે તેમાં કોરોના મહામારીના બે વર્ષ પછી ધામધૂમ પૂર્વક નીકળનારી રથયાત્રાને લઈ ભક્તોમાં આતુરતા જોવા મળી રહી છે રથયાત્રા નિમીતે શહેર માં ૧ ડી.વાય.એસ.પી ૬ પી.આઈ ૨૩ પી.એસ.આઇ ૪૦૦ પોલીસ જવાનો ૨૦૦ હોમગાર્ડ જવાનો ફોટોગ્રાફર હેન્ડ કેમેરા ડ્રોન કેમેરા તૈનાત રહેશે ભગવાન જગન્નાથની રથયાત્રામાં  બેન્ડ-૧,નાશિક ઢોલ-૧,ઘોડા-૨,ટ્રેક્ટર- ૧,ડી.જે-૧ ભજન મંડળી સાધુ સંતો તેમજ એક રથ રથયાત્રામા જોડાશે મોટા રામ દવારાના મહંતશ્રીએ ઈડરની ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાવા માટે આહવાન કર્યું છે

Share This Article