સુરેન્દ્રનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે સંકલન સમિતિની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં બિસ્માર રોડ રસ્તા, ગામડાના એસ.ટી. રૂટો, આરોગ્ય સેવા, બાકી સરકારી લેણાંની રિકવરી, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રસ્તા રિફ્રેશિંગ કામગીરી, વીમા કંપનીને લગતા પ્રશ્નો, પાક વીમાની અરજીઓ, ગરીબ લાભાર્થીઓને ફાળવેલ પ્લોટની સનદો, જર્જરિત આંગણવાડી કેન્દ્રો વિગેરે તેમજ વિવિધ સામાજિક રાજકીય અને લોક હિતાર્થેના કામો બાબતેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ સંકલનની બેઠકમાં જિલ્લા કલેકટર કે રાજેશ, અધિક કલેકટર એન.ડી. ઝાલા, એસ.પી. મહેન્દ્ર બગડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ધોરીયા, નગરપાલિકાના ચીફ ઓફિસર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સંકલન સમિતિની બેઠકમાં પાટડી દસાડા વિધાનસભાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, ઋત્વિકભાઈ મકવાણાએ લોક સમસ્યાઓ, ખેડૂતોને પડતી અગવડતા મામલે અને શહેરમાં આરોગ્ય વિષયક કામગીરી, જવાબદાર જગ્યા ઉપર શિક્ષિત લોકોને જવાબદારી સોંપવા, પાક વિમાના સર્વે બાબતે અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સીએમના આગમન વેળાએ રસ્તા રિફ્રેશિંગ સામે સવાલો ઉઠાવ્યા હતા.
સુરેન્દ્રનગરમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.