Connect with us

બોટાદ

બોટાદમાં આયુષ્યમાન ભારત સપ્તાહની ઉજવણી

Published

on

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોની આરોગ્યની સુખાકારી માટે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ગરીબ પરિવારના લોકોને રૂ.5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી રહી છે. ત્યારે આજે બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્ય માન ભારત સપ્તાહ ઉજવણી સમારોહનું આયોજન નગરપાલિકા ટાઉન હોલમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બોટાદ જિલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તા, ડી.ડી.ઓ લલિતનારાયણસિંઘ સાદું, પૂર્વ ધારાસભ્ય ડો.ટી.ડી.માણિયાં, જિલ્લા પચાયત ના કારોબારી ચેરમેન વાલજી ભાઈ જાદવ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. તે ઉપરાંત બોટાદ જિલામાં આયુષ્યમાન ભારત યોજના અતર્ગત કાર્ડની અંદર જે લોકોએ સારી કામગીરી કરી હોય તેવા કર્મચારીઓને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમા બોટાદ જિલાના આશા વર્કર બહેનો મોટી સખ્યામાં હાજર રહી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, બોટાદ જિ.પંચાયત હવે ભાજપને જીતવામાં સરળતા

Published

on

By

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં જિલ્લા-તાલુકા અને નગરપાલિકાઓના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીના કોંગ્રેસના 14 ઉમેદવારોનાં ફોર્મ રદ્દ કરવાના વિવાદમાં મોટો ચુકાદો આપ્યો છે.

ગુજરાત હાઇકોર્ટે ચૂંટણી પંચના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા ઇનકાર કરીને કોર્ટે કોંગ્રેસના ઉમેદવારોની અરજી ફગાવી દેતાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયના પગલે કોંગ્રેસના 14 ઉમેદવારો આ ચૂંટણી લડી શકશે નહીં. કોંગ્રેસના કાર્યકરોએ રજૂઆત કરી હતી કે, કોંગ્રેસના ઉમેદવારોનાં 14 ફોર્મ રદ્દ કરવાની પ્રક્રિયા ચૂંટણીના કાયદાકીય નિયમોથી વિરુધ્ધ છે.

આ રજૂઆતને હાઈકોર્ટે સ્વીકારી નથી. અરજદારોએ કરેલી રજૂઆત મુદ્દે ચાલુ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હસ્તક્ષેપ કરવાને લઈ ગુજરાત હાઇકોર્ટ ઇનકાર કરી દીધો છે. હાઈકોર્ટના ચુકાદા સાથે જ બોટાદ જિલ્લા પંચાયત ભાજપના હાથમાં સરળતાથી જાય તેવી શક્યતા છે. કારણકે બોટાદ જિલ્લા પંચાયતમાં કુલ 20 બેઠકો છે અને તેમાંથી 18 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર નથી. આમ આદમી પાર્ટીએ 12 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે તેથી જિલ્લા પંચાયતની 8 બેઠકો પર ભાજપનો વિજય અત્યારથી નક્કી છે. ભાજપે જિલ્લા પંચાયત કબજે કરવા હવે ત્રણ બેઠકો જ જીતવાની જરૂર છે.

Continue Reading

બોટાદ

ગઢડામાં આચાર્ય પક્ષના એસપી સ્વામી વિવાદમાં, હરિજીવનદાસ સ્વામીને ઝીંકી દીધો લાફો

Published

on

By

ગઢડાનું ગોપીનાથજી મંદિર હવે સેવાભાવ ભક્તિભાવ સાથે સાથે સત્તાની સાઠમારી માટે પણ જાણીતું થઈ ગયું છે. અહીંયા દર બે મહિને આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ઝઘડાઓ થયા કરે છે. ત્યારે ગત રવિવારથી ફરી ગઢડા મંદિરમાં ચેરમેનની ખુરશી માટે  નાટકીય રીતે સત્તાની ખેંચાખેંચી થઈ છે. ત્યારે વધુ એક વખત ગોપીનાથજી મંદિર ચર્ચામાં આવ્યુ છે. આચાર્ય પક્ષના એસપી સ્વામીએ હરિજીવનદાસ સ્વામીને લાફો ઝીંકી દેતા તેઓ વિવાદમાં સપડાયા છે.

હકિકતમાં રવિવારે આચાર્ય પક્ષે રવિવારે મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીના સ્થાને રમેશ ભગતની ચેરમેન તરીકે નિમણૂક કરી હોવાનો દાવો કર્યો હતો. જોકે, દેવ પક્ષે આ નિમણૂકને ગેરકાયદેસર ગણાવી હતી કારણ કે મંદિરની ચૂંટણીમાં તેમનો વિજય થયો છે. દરમિયાન આ અંગે થયેલી હુસાતુસીમાં પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી કરી રહ્યા છે.

તેમણે આચાર્ય પક્ષના એસપી સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી છે. હરિજીવનદાસ સ્વામીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ચેરમેનની ઓફિસમાં ગયો ત્યારે પાર્ષદ રમેશ ભગત મારી ખુરશી પર બેઠા હતા અને પોલીસ પણ ત્યારે અમારી સામે હાજર હતી ત્યારે એસપી સ્વામીએ મને ગાળ આપી અને લાફો મારી લીધો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ધર્મદર્શન

જય હનુમાન દાદા : સાળંગપુર કષ્ટભંજન દેવને સોનાના વાઘાથી મઢાયા…જુઓ અદ્ભૂત તસવીર

Published

on

By

દેશભરમાં દિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષે કોરોનાના વધતા કહેરને કારણે અનેક જગ્યાએ લોકડાઉન આપવામાં આવ્યું હતું. તેમજ અનેક મંદિરો પણ બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે મોટાભાગના મંદિરો ભક્તો માટે ખુલી ગયા છે. હાલ દિવાળી પર્વનો પ્રારંભ થયો છે.

ત્યારે દિવાળીના તહેવારને લઈ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે હનુમાન દાદાને 8 કિલો સોનામાંથી બનેલા સુવર્ણ વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. 6.50 કરોડ ના ખર્ચે બનેલા સુવર્ણ વસ્ત્રોની મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી.

પાલખી યાત્રાના સુવર્ણ વાઘાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સોનાના વસ્ત્રો હનુમાન દાદાને અર્પણ કરાયા હતા. આ પ્રસેં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વડતાલ ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજ સહિતના અન્ય સંતો હાજર રહ્યા હતા. આ વાઘામાં રિયલ ડાયમંડ, રૂબી, બિકાનેરી મીણો અને એન્ટિક વર્કનો પણ સમન્વય જોવા મળે છે. વાઘાને સંપૂર્ણ રીતે તૈયાર થતાં 1 વર્ષનો સમય લાગ્યો છે. 22 જેટલા મુખ્ય ડિઝાઇનર આર્ટિસ્ટ સાથે મળી 100 જેટલા સોનીએ કામ કર્યું છે અને તૈયાર થવામાં આશરે 1050 કલાક જેટલો સમય લાગ્યો છે.

Continue Reading
Uncategorized45 mins ago

મોરબી બ્રિજ અકસ્માતમાં પીડિતોને મળશે રાહત, ઓરેવા ગ્રુપે વચગાળાના વળતરના જમા કરાવ્યા આટલા ટકા રકમ

Uncategorized1 hour ago

આજે જોડાશે અગ્નિવીરની પ્રથમ બેચ નેવીમાં, INS ચિલ્કા ખાતે યોજાશે પાસિંગ આઉટ પરેડ

Uncategorized1 hour ago

અષ્ટમીના દિવસે કરવામાં આવે છે માતા મહાગૌરીની પૂજા, જાણો કેવી રીતે પડ્યું માતાનું આ નામ?

Uncategorized17 hours ago

દિલ્હીથી ઉત્તરાખંડ જતા માર્ગમાં આ વચ્ચે આવે છે 6 સ્વર્ગ જેવી જગ્યાઓ , નજીકથી જોવું હોય તો જાવ જલ્દી

Uncategorized17 hours ago

નેવીએ કોલકાતાથી 7,500 કિમી લાંબી કાર રેલી શરૂ કરી, નેવી ચીફે લીલી ઝંડી બતાવી

Uncategorized17 hours ago

EDને સુપ્રીમ કોર્ટનો ફટકો, બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી

Uncategorized17 hours ago

ગૂગલ મેપ્સમાં યુઝર્સ માટે ઉમેરાયેલું આ નવું ફીચર તમારા માટે ઉપયોગી થશે

Uncategorized18 hours ago

સરકારી અધિકારીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી અંગે 6 મહિનામાં નિર્ણય કરોઃ કર્ણાટક હાઈકોર્ટ

Uncategorized4 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized4 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

નેશનલ3 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

સરકારી કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો, 4 કલાકની હડતાળ બાદ સરકાર ઝૂકી

Uncategorized4 weeks ago

અનુભવ સિન્હાની ‘ભીડ’નું ટીઝર થયું રિલીઝ, રજુ કરે છે કોરોના કાળ દરમિયાન સ્થળાંતરની વાર્તા

Uncategorized4 weeks ago

વડાપ્રધાન મોદી કર્ણાટકના પ્રવાસે, આટલા કરોડોના ભેટ કરશે પ્રોજેક્ટ, PM કિસાન યોજનાનો 13મો હપ્તો પણ બહાર પાડશે

Uncategorized4 weeks ago

ઈસરોને મોટી સફળતા મળી, ચંદ્રયાન-3નું ક્રાયોજેનિક એન્જિનનું કર્યું પરીક્ષણ સફળ

Trending