Connect with us

છોટાઉદેપુર

બોડેલીમાં આસો નવરાત્રીની ઉજવણી

Published

on

છોટાઉદેપુર જિલ્લાના ધર્મ અને ઉત્સવપ્રિય બોડેલી નગરમાં દરેક પર્વોની ઉજવણી ખુબ ધાર્મિકતા સાથે રંગે ચંગે કરવામાં આવે છે. ત્યારે માઁ આદ્યશક્તિ માઁ અંબાની આરાધના પૂજા અર્ચના કરવાનો પર્વ એટલે આસો નવરાત્રીની ઉજવણી પણ ખૂબ ધાર્મિકતા સાથે એક ઉત્સવની જેમ રંગેચંગે કરવામાં આવી હતી. ગરબા રસિકો ગરબા ગ્રાઉન્ડ ઉપર ગવાતા પ્રાચીન અર્વાચીન ગરબા અને રાસમાં નિત નવા નવા પરંપરાગત પોશાકો પરિધાન કરી ગરબે ઘૂમી નવરાત્રી પર્વનો અનેરો આનંદ મેળવી રહ્યા હતા. 

 

નવલી નવરાત્રીના શરૂઆતના બે દિવસ વરસાદ વિઘ્નરૂપ બનતા રાસ ગરબાનાં ખેલૈયાઓ નિરાશ થયા હતા. પણ બે દિવસ બાદ મેઘરાજાએ વિરામ લેતા ત્રીજા નોરતાથી બોડેલી અલીપુરા ઢોકલીયામાં વિવિધ સ્થળોએ વિવિધ મંડળો દ્વારા આયોજિત ગરબામાં રાસ ગરબા રસિકો બહારથી બોલાવાતા કલાવૃંદ અને ડીજેના તાલે રાસગરબાની જોરદાર રમઝટ બોલાવી હતી. અલીપુરાના જનશક્તિ ખોડીયાર સેવા ટ્રસ્ટ દ્વારા માઁ ખોડીયાર માતાના મંદિરના  વિશાળ ચોકમાં સતત ૫૫ વર્ષથી નવરાત્રી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષે કેવડિયાના મહાકાલી કલાવૃંદના હરીશ પંચાલ અને તેમના સાથી કલાકારોના સુર તાલના સથવારે થતા ગરબાએ સમગ્ર વિસ્તારમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. અહીં યુવકયુવતીઓની સાથે સાથે આબાલ વૃદ્ધો તેમજ નાના બાળકો પણ મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધનામાં મગ્ન બન્યા છે. અહીં અલીપુરા બોડેલી ઢોકલીયા સાથે સાથે આસપાસના ગામોમાંથી પણ માતાજીના દર્શનની સાથે સાથે ગરબાની રમઝટ નિહાળવા લોકોની ભારે ભીડ જામતી હોય છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

છોટાઉદેપુર

છોટાઉદેપુર : બોડેલી નજીક આવેલ એક મકાનમાં લાખોની ચોરી, તસ્કરો ચોરી કરી ફરાર

Published

on

બોડેલી નજીક આવેલ નર્મદા મુખ્ય કેનાલ પાસે વ્રજભૂમિ સોસાયટીની સામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના, ટીવી સહિત રોકડ મળી કુલ ૧,૮૫,૦૦૦ મત્તાની ચોરી કરી રફુચક્કર થતા નગરમાં ભારે ચકચાર મચી જવા પામી છે

મળતી માહિતી મુજબ બોડેલી – ડભોઇ રોડ પર આવેલ આઈ.ડી.બી.આઈ બેંકની બાજુમાં રહેતા ચિન્ટુભાઈ ગીરધાલીલાલ વર્મા પોતાના મકાન નીચે જય અંબે ઓટો ગેરેજ ચાલવી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે તેઓનું નવું મકાન બોડેલી નજીક આવેલ નર્મદા મુખ્ય કેનાલ પાસે બનાવેલ હોય તેઓની માતા ત્યાં રહેતા હતા અને તેઓની માતા ગત જુલાઈ મહિનામાં પડી જતા તેઓની ઈજા થતાં હાથ ફેક્ચર થયો હતો ત્યારે પુત્ર ચિન્ટુ તેઓના જુના ઘરે રહેવા લઈ આવેલ અને ત્યાર બાદ નવું મકાન બંધ રહેતું હતું ત્યારે ગત ૧૫-૮-૨૨ ના રોજ પરિવારજનો તપાસ કરવા જતાં દરવાજો લોક હોઈ અંદર ખોલીને પ્રવેશ કરતા કિચનના ભાગે લોખડની જળીના સળિયા તૂટેલી હાલતમાં હતી અને ત્યાર બાદ રૂમમાં મુકેલ લાકડાનો પેટી પલંગ અને તિજોરી ખુલા હતા અને સામાન વેરવિખેર હતો, તસ્કરોએ ટીવી જેની કી રૂ ૮૦૦૦ તેમજ ચાંદીની ઝાંઝર જેની કી રૂ ૧૦,૦૦૦ તેમજ ચાંદીના કડા જેની કી રૂ ૧0000 તેમજ ચાંદી કંદોરો જેની કી રૂ ૧૨,૦૦૦ તેમજ બે સોનાની અંગૂઠી જેની કિંમત રૂ 30 હજાર  તેમજ એક સોનાની ચેન જેની કિંમત રૂ 1 લાખ તેમજ અંજાદિત 15000 રોકડા મળી કુલ 1,85,000 ની મતાની ચોરી તસ્કરો રફુ ચક્કર થયા હતા જ્યારે બનાવને લઈ બોડેલી પી.એસ.આઇ એ.એસ સરવૈયા તેમજ સ્ટાફ ના પોલીસ કર્મીઓ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે ચિન્ટુભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બનાવને લઈ નગરમાં ચકચાર મચી જવા પામી છે

Continue Reading

છોટાઉદેપુર

મેહુલ બોઘરાના સમર્થનમાં બોડેલી બાર એસોસિએશને આવેદન આપ્યું

Published

on

સુરત ખાતે વકીલ મેહુલ બોધરા પર ટીઆરપી સુપરવાઇઝર જીવલેણ હુમલો કર્યો હતો ત્યારે બોડેલી બાર એસોસિએશનએ આ ઘટનાને વખોડી નાખી તાલુકા સેવાસદન પાસે ભારે સુત્રોચાર કર્યા હતા અને બોડેલી ડેપ્યુટી કલેકટર મારફતે મહા મહિમ રાજ્યપાલ મહોદયને આવેદનપત્ર પાઠવ્યું છે

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સુરત બાર એસોસિએશનના વકીલ મેહુલ બોધરા ઉપર સુરત સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જાહેર રોડ ઉપર પોલીસની હાજરીમાં ટીઆરપીના જવાનો દ્વારા વકીલને મારી નાખવાના ઈરાદા થી ઘાતક હુમલો કરી કાયદાના રક્ષકોએ પોતે કાયદો હાથમાં લઇ અમારા સુરતના વકીલને ગંભીરતા પહોંચાડે લ હોઈ જે બાબતને અમે બોડેલી બાર એસોસિએશન સખત શબ્દોમાં વખોડી નાખે છે આવા અસામાજિક તત્વોથી રક્ષણ મળે તે હેતુથી બોડેલી બાર એસોસિએશન આ રાજ્ય સરકારના પ્રતિનિધિને આવેદનપત્ર આપી માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ગુજરાત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવો જોઈએ તે માટે ગુજરાત રાજ્ય સરકારને  આવેદન આપવાની જરૂર પડેલ છે બોડેલી બાર એસોસિએશન દ્વારા તા ૨૩/૦૮/૨૨  ના રોજ આ બાબતનો ઠરાવ કરી અને રાજ્ય સરકારને મોકલવા સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે આ બાબતે મહા મહિમ રાજ્યપાલને આવેદન બોડેલીના ડેપ્યુટી કલેક્ટર શ્રી મારફતે આવેદનપત્ર પણ આપે છે અને આ ઘટનાએ માત્ર વકીલ ઉપરનો હુમલો નથી પરંતુ લોકતંત્ર પર પણ હુમલો છે તેમજ સામાન્ય જનતા આ ઘટનાથી ખૂબ ભયભીત થઈ ગયેલ છે કારણ કે વકીલ જેવા જાગૃત નાગરિક ઉપર જીવલેણ હુમલો માત્ર ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી વિરુદ્ધ પોતાનું ભારતના નાગરિક હોવાની ફરજ અને મહાત્મા ગાંધી અને બાબા આંબેડકર ઉપદેશોનું પાલન કરતાં તેઓએ આવી ઘટક પરિસ્થિતિનું ભોગ બનવું પડેલ છે જેથી બોડેલી બાર એસોસિયેશનની વિનંતી કે રાજ્યની કથડેલી કાયદો અને વ્યવસ્થા નો એક ઉદાહરણ છે શર્મા નાક ઘટનાને અમે બોડેલી બાર એસોસિએશન ના વકીલ મિત્રો ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને ફરીથી આવો બનાવ ન બને તે માટે રાજ્ય સરકાર અને રાજ્યનો કાયદો વિભાગ તથા પોલીસ મહાનિદર્શક તરફથી જરૂરી સૂચનાઓ આપી તેનો અમલ કરવા જરૂરી સુચના આપવા જે તે કંસેટ જિલ્લા પોલીસ વડા ઓએ પણ જાણ કરવા હાલનું આવેદન પત્ર આપી હાલની આ સુરત ની ઘટનાને ગંભીરતાથી બોડેલી બાર એસોસિએશનના તમામ વકીલો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ

Continue Reading

છોટાઉદેપુર

છોટાઉદેપુર : બોડેલીના અલીખેરવા વિસ્તારમાં તંત્રએ ખાડા પુરવામાં વેઠ ઉતારી

Published

on

બોડેલીના અલીખેરવા વિસ્તારમાં રસ્તાઓ પર કીચડ તેમજ ખાડાના કારણે લોકોને હાલાકી પડી રહી હતી ત્યારે સમગ્ર અહેવાલ મડિયામાં પ્રસિદ્ધ થતા તંત્ર સફાળું જાગ્યું હતું પણ તંત્રે જાણે કામગીરીમાં વેઠ ઉતારી હોઈ તેમ વ્યવસ્થિત કામગીરી  ન કરતા અકસ્માત ઝોન બનાવી દીધું હોઈ તેમ લાગી રહ્યું છે

બોડેલી તાલુકામાં આવેલ અલીખેરવા વિસ્તારના ગોપાલ ટોકીઝથી રાજખેરવા સહિત દિવાળી બા પાર્ક સોસાયટી સહિત મણિનગરના રસ્તા પર ખાડા પડતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સોસાયટીના અનેક માર્ગ પર કાદવ – કીચડ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈ સ્થાનિક સહિત વાહનચાલકોને ગંદકી ભર્યા રસ્તેથી પસાર થવાનો વારો આવ્યો છે આ ઉપરાંત લોકો સહિત ખેડૂતો પણ આ રસ્તાનો ઉપયોગ કરતા હોઇ છે ત્યારે ઘણીવાર વરસાદી પાણી ખાડામાં ભરાતા નજર ન પડતા  લોકોને જીવન જોખમે પસાર થવાનો વારો આવ્યો છે ત્યારે આ સમગ્ર બાબતને લઈ મડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું હતું અને રસ્તાઓ પર ખાડા પુરવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ તંત્રની કામગીરીથી રહીશો દુકાનદારો તેમજ વાહનચાલકો સંતુષ્ટ નથી તેમ લાગી  રહ્યું છે કારણકે તંત્રેએ કામગીરીમાં માત્ર ઇટો સહિત પથરા નાખી ખાડા પુરી સંતોશ માન્યો છે પણ તંત્રએ ખાડા એવા પૂર્યા જાણે કે બમ્બ બનાવી દીધો જેને લઈ વાહનચાલકો તેમજ લોકોને મુશ્કેલી વેઠવાનો આવ્યો છે અને જો રાત્રીના સમયે વાહન ચાલકને આ ઇટો અથવા પથ્થર ન દેખાય તો ચોક્કસ પણ અકસ્માત સર્જાશે તેમ લાગી રહ્યું છે તંત્ર દ્વારા વેઠ નહિ વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે

Continue Reading
Uncategorized21 mins ago

સરકારે આ બેંકને માગ્યા વિના આપ્યા 8800 કરોડ, સંસદમાં રજૂ કરાયેલ રિપોર્ટમાં થયો ખુલાસો

Uncategorized31 mins ago

સૂતી વખતે આ 7 ભૂલો તમને કરી શકે છે બીમાર, આજે જ બદલો

Uncategorized2 hours ago

મોરબી બ્રિજ અકસ્માતમાં પીડિતોને મળશે રાહત, ઓરેવા ગ્રુપે વચગાળાના વળતરના જમા કરાવ્યા આટલા ટકા રકમ

Uncategorized2 hours ago

આજે જોડાશે અગ્નિવીરની પ્રથમ બેચ નેવીમાં, INS ચિલ્કા ખાતે યોજાશે પાસિંગ આઉટ પરેડ

Uncategorized2 hours ago

અષ્ટમીના દિવસે કરવામાં આવે છે માતા મહાગૌરીની પૂજા, જાણો કેવી રીતે પડ્યું માતાનું આ નામ?

Uncategorized18 hours ago

દિલ્હીથી ઉત્તરાખંડ જતા માર્ગમાં આ વચ્ચે આવે છે 6 સ્વર્ગ જેવી જગ્યાઓ , નજીકથી જોવું હોય તો જાવ જલ્દી

Uncategorized18 hours ago

નેવીએ કોલકાતાથી 7,500 કિમી લાંબી કાર રેલી શરૂ કરી, નેવી ચીફે લીલી ઝંડી બતાવી

Uncategorized18 hours ago

EDને સુપ્રીમ કોર્ટનો ફટકો, બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી

Uncategorized4 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized4 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

નેશનલ3 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

સરકારી કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો, 4 કલાકની હડતાળ બાદ સરકાર ઝૂકી

Uncategorized4 weeks ago

વડાપ્રધાન મોદી કર્ણાટકના પ્રવાસે, આટલા કરોડોના ભેટ કરશે પ્રોજેક્ટ, PM કિસાન યોજનાનો 13મો હપ્તો પણ બહાર પાડશે

Uncategorized4 weeks ago

ઈસરોને મોટી સફળતા મળી, ચંદ્રયાન-3નું ક્રાયોજેનિક એન્જિનનું કર્યું પરીક્ષણ સફળ

Uncategorized4 weeks ago

કર્ણાટકમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો; છેલ્લા 2 મહિનામાં આવી ચોથી ઘટના

Trending