જુનાગઢ : નિર્મળસિંહ ચુડાસમાની આપના નેતા ઈશુદાન ગઢવીની શુભેચ્છક મુલાકાત લીધી

admin
1 Min Read

જુનાગઢ જિલ્લા ના માણાવદર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમા ની આપ ના નેતા ઈશુદાન ગઢવી એ અચાનક જ શુભેચ્છક મુલાકાત લીધી હતી ત્યારે જુનાગઢ જિલ્લા ના માણાવદર મા રાજકારણમા ગરમાવો આવ્યો છે, એક સમયે કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ના નજીકના ગણાતા નિમૅળસિંહ ચુડાસમા ના ઘરે ઇસુદાન ગઢવી દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી…માણાવદરમા આજે પ્રજાપતિ સમાજ ખાતે જન સંવેદના કાયૅક્રમ યોજાયો હતો જેમા માણાવદર તાલુકા તેમજ શહેરમાંથી અનેક લોકો આમ આદમી પાર્ટી મા જોડાયેલ હતા, ખરેખર માણાવદર શહેર તેમજ તાલુકાની પ્રજા ગુજરાતના અણઘડ વહીવટ થી આમ જનતા ત્રાહિમામ છે તેવું જાણમાં આવ્યું છે,

હવે તો જોવુ એ રહયુ કે પ્રજા આ વખતે ભાજપ ને જાકારો આપશે કે શુ ? ઈશુદાન ગઢવીએ આજે શુભેચ્છા મુલાકાત માણાવદર ના નગરપાલિકા ના પુવૅ પ્રમુખ ગીતાબેન મકવાણા, માણાવદર નગરપાલિકાના સદસ્ય જેન્તીભાઈ પનારા, મુસાભાઇ સોલંકી, અને સરદારગઢ ના સામાજીક કાયૅકર દિનેશભાઈ વાઢેર તેમજ સ્ટેશન પ્લોટ વિસ્તારના કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતમા એવું લાગે છે કે માણાવદર મત વિસ્તારના લોક સેવક અને નગરપાલિકા ના પુવૅ પ્રમુખ નિમૅળસિહ ચુડાસમા ટુંક સમયમાં પોતાના હજારો કાર્યકરોને સાથે લઈ ને આમ આદમી પાર્ટીમાં જોડાઇ જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે

Share This Article