ધર્મ ધ્વજા રથયાત્રાનુ સ્વાગત કરવામાં આવ્યુ

admin
1 Min Read

કેશોદના જુનાગઢ બાયપાસથી કેશોદના ચારચોક વેરાવળ રોડના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલ રથયાત્રાનુ વિવિધ જ્ઞાતીમંડળો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. ભાલકા તીર્થ વેરાવળ ગીર સોમનાથ મુકામે આવતી કાલથી ત્રિ દિવસીય ભાલકેશ્વર મહોત્સવનો પ્રારંભ થયોછે જેમાં દ્વારકા મંદિર દવજા રોહણ કર્યા બાદ દ્વારકાથી ભાલકા તીર્થ સુધી ધર્મ દવજ રથયાત્રા પ્રસ્થાન થયુ હતુ જે ઉપલેટા જુનાગઢ કેશોદ  સહીતના શહેરોમાં ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગ પર થી પસાર થઈ હતી ત્યારે ઠેર ઠેર રથયાત્રાનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ધર્મ દવજ રથયાત્રામાં કેશોદ જુનાગઢ બાયપાસથી જોડાઈ શ્રી પેથલજી ચાવડા આહીર સમાજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ ત્યાર બાદ શહેરના મુખ્ય માર્ગો પરથી ચાર ચોકમાં વિવિધ જ્ઞાતીમંડળો દ્વારા રથયાત્રાના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા રથયાત્રાનુ પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ બાદમાં રથયાત્રા ભાલકા તીર્થ જવા રવાના થયેલ હતો

Share This Article