બોટાદમાં નર્મદા નીરના કરાયા વધામણા

admin
1 Min Read

બોટાદ ખાતે આવેલ કૃષ્ણસાગર તળાવમાં સૌની યોજના મારફતે આવેલ નર્મદાના નીરના વધામણાં ભારતીબેન શિયાળ દ્વારા કરવામાં આવ્યા હતા. ભાવનગર બોટાદ લોકસભા મત વિસ્તારના સાંસદ ભારતીબેન દ્વારા ફુલહાર કરી વધામણાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના કાર્યકરો હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ વિસ્તારના પાણીના સ્ત્રોત માટે જીવાદોરી સમાન ગણાતા એવા કૃષ્ણસાગર તળાવમાં પાણીની માત્રા ઓછી હોવાના કારણે થોડા દિવસો અગાઉ રાજ્ય સરકારમાં માંગણી મુકાયા બાદ સૌની યોજના મારફતે બોટાદના કૃષ્ણસાગર તળાવ સહિતના ડેમોમાં પાણી પહોંચાડવામાં આવ્યું હતું. જેનાં લીધે ભાવનગર બોટાદ લોકસભા મત વિસ્તારના સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા ફુલહાર કરી અને માં નર્મદાના નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. જેમાં ડો ધીરુભાઈ શિયાળ, બોટાદ નગરપાલિકા ચિફ ઓફિસર પાંચાભાઈ માળી અને ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ બોટાદ નગરપાલિકા, પ્રમુખ ઉપ પ્રમુખ કારોબારી ચેરમેન સહિતના ચૂંટાયેલા સભ્યો તેમજ ભાજપના જિલ્લા તાલુકા તેમજ શહેરના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article