પાટણ- બ્રહ્માકુમારીમાર્ગ પરના નાળા પાસે રહેતા શ્રમિકોનો રસ્તો થયો બંધ

Subham Bhatt
1 Min Read

પાટણ શહેરના બ્રહ્માકુમારીમાર્ગ પર આવેલ અને આનંદ સરોવરને જોડતી વરસાદી પાણીના નિકાલની કેનાલની એક તરફ છેલ્લાઘણા વર્ષોથી ૨૦ જેટલા ગરીબ પરીવારો કાચા પાકા મકાનો બાંધી વસવાટ કરી રહયા છે આ પરીવારના મોભીઓ છુટક મજુરીતેમજ અન્ય નાનો મોટો રોજગા ૨ કરી પરીવારનું ગુજરાન ચલાવી રહયા છે.નગરપાલિકા દ્વારા બે વર્ષ અગાઉ બીજારેલ્વેનાળા થી બ્રહ્માકુમારી માર્ગ અને આનંદ સરોવરને જોડતી વરસાદી પાણીના નિકાલની કેનાલનું રીપેરીંગ કામકાજ કરવામાં આવ્યું હતું . ત્યારે હાલમાં કેનાલની એક તરફ વસવાટ કરતા ૨૦ જેટલા ગરીબ પરીવારોના ઘર નજીક નગરપાલિકા દ્વારા દિવાલ ચણી દેવામાં આવતા આ પરીવારના આવન જાવનનો રસ્તો બંધ થઇ જવા પામ્યો છે.

The road of workers living near the ditch on Patan-Brahmakumari Marg was closed

જેને લઇ સત્તાધીશો દ્વારા કેનાલ પર વસવાટ કરતા પરીવારોને કોઇપણ જાતની નોટીસ કે જાણ કર્યા સિવાય દિવાલ બનાવવાની કામગીરી શરુ કરતા આ પરીવારો
મુશ્કેલીમાં મુકાયા છે . હાલમાં કેનાલ પર ચાલી રહેલ દિવાલ ચણતરના કામને પરીવારની મહિલાઓને દિવાલ કુદીને જવાનીફરજ પડી રહી છે જે આ તસ્વીરોમાં દશ્યમાન થઇ રહયું છે . તો આ ગરીબ પરીવારો મજબુરીને લઇ તંત્ર સામે કંઇપણ કહેવામાટે ચૂપકીદી સેવી રહયા છે . જો કે હાલમાં આ પરીવારજનોનો આવન જાવનનો વર્ષો જુનો રસ્તો છીનવાઇ જતાં તેઓની હાલત કફોડી બની છે .

Share This Article