જુનાગઢ-માળીયા હાટીનામાં નવ નિર્મિત મુક્તિ ધામ બનાવવા બેઠક મળી

Subham Bhatt
1 Min Read

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના માં નવ નિર્મિત મુક્તિ ધામ બનાવવા દરેક સમાજના આગેવાનો ની બેઠક યોજાઇ હતી. માળીયા હાટીના મુક્તિ ધામ હાલ ખુબજ જર્જરિત હોવાથી  માળીયા હાટીના માં નવનિર્મિત મુક્તિ ધામ બનાવવા માટે દરેક સમાજ ના આગેવાનો ની બેઠક બોલાવવામાં આવી હતી.આબેઠક માં માળીયા હાટીના ગ્રામ પંચાયત ના સરપંચ જીતુભાઇ સીસોદીયા એ રૂ. નવ લાખ ની ગ્રાન્ટફાળવવા માં આવી હતી તેમજ  જુનાગઢ જીલ્લા ના સંસદ રાજેશ ચુડાસમા એ પોતાની ગ્રાન્ટ માંથી રૂ.પાંચ લાખ ની ગ્રાન્ટ ફાળવસે તેવી જાહેરાત કરી

A meeting was held at Junagadh-Maliya Hatina to build nine Mukti Dham

બીજી તરફ માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા એ પોતાની ગ્રાન્ટ માંથી રૂ પાંચ લાખ ની ગ્રાન્ટ ફાળવસે તેવી જાહેરાત પણકરવામાં આવી હતી. આ બેઠક માં માળીયા હાટીના માં નવ નિર્મિત મુક્તિ ધામ બનાવવા માટે દરેકસમાજ માંથી એક થી બે આગેવાનોના સમિતિ માં નામ આવ્યા બાદ એક સમિતિ બનાવવામાં આવશે , ત્યાર બાદ આગામી દિવસો માં એક  સમિતિ ની બેઠક બોલાવી નિર્મિત મુક્તિ ધામ બનાવવા માં આવશે

Share This Article