જુનાગઢ-માળીયા હાટીનામાં  મુક્તિ રથનું કરાયું લોકાર્પણ

Subham Bhatt
1 Min Read

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં  મુક્તિ રથ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જીલ્લાપંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સીસોદીયા નીગ્રાન્ટ માંથી રૂ. પાંચ લાખ ના ખર્ચે મુક્તિ રથ માળીયા હાટીના માં આપતા લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. માળીયા હાટીના માંછેલ્લા ઘણા સમય થી  માળીયા હાટીના ની જનતા ને મુક્તિ રથ માંગ હતી ત્યારે જૂનાગઢ જીલ્લાપંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સીસોદીયા એ પોતાની ગ્રાન્ટ માંથી રૂ. પાંચલાખ નાખર્ચે  મુક્તિ રથ આપ્યો જેનું લોકાર્પણ જુનાગઢ જીલ્લા ના સંસદ રાજેશ ચુડાસમા વરદ હસ્તે આપવામાં આવ્યો તેથી લોકો માં ભારે ઉત્સાહ અને ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.

Dedication of Mukti Rath at Junagadh-Maliya Hatina

મુક્તિ રથ નું લોકાર્પણ માં ઉપસ્થીત જુનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ, માળીયા હાટીનાતાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જૂનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિનાચેરમેન દિલીપભાઈ સીસોદીયા,માળીયા હાટીના ગ્રામ પંચાયત ના સરપંચ જીતુભાઇ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામ જનો ઉપસ્થીત રહ્યા હતા

Share This Article