પાટણ- સંવિધાન બચાવો જાહેર સભાને સંબોધતા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી

Subham Bhatt
1 Min Read

પાટણના સુભાષચોક ખાતે સંવિધાન બચાવો જાહેર સભામાં ઉપસ્થિત રહેલ વિશાળ જનમેદનીને સંબોધિત કરતા વડગામનાધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર અને આરએસએસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.જીગ્નેશ મેવાણી જણાવ્યું હતુંકે, જેને સ્વતંત્રતાની ચળવળમાં લોહીનું એક ટીંપુ વહેવડાવ્યુ નથી અને અંગ્રેજોની ચાપલુસી કરનારા આજે વિરાંજલીના કાર્યક્રમો આયોજીત કરી પોતે દેશભક્ત હોવાના દાવા કરી રહી છે.

Patan: MLA Jignesh Mewani addressing a public meeting to defend the Constitution

આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના લોકો પોતાનાંમનુવાદને લોક માનસ પર ઢોકી બેસાડવા બાબા સાહેબના સંવિધાનને દુર કરવા મથામણ કરી રહ્યા છે. ત્યારે આવા કહેવાતા દંભી રામ ભક્તોથી લોકોએ ચેતવું પડશે.આ કાર્યક્રમમાં પાટણ ડો ધારાસભ્ય કિરીટભાઈ પટેલ,પ્રવીણભાઈ રાઠોડ,મનોજભાઈ પરમાર સહિત વિવિધ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Share This Article