સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં પર્યાવરણની જાળવણીના સંદેશ આપવામાં આવ્યા

admin
1 Min Read

ધ્રાંગધ્રા પર્યાવરણ જાણવણી માટે મીઠાઈનુ કાપડની થેલીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા કેમીકલ્સમાં કામ કરતા કામદારોને મીઠાઈ વિતરણ કાર્યક્રમ, વ્યસનમુક્તિ અને પર્યાવરણજાણવણી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ આઈ. કે. જાડેજાએ હાજરી આપી હતી અને તેમના હસ્તે કાપડની થેલીમાં મીઠાઈનુ વિતરણ કરી પર્યાવરણની જાણવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો.  પર્યાવરણ માટેના કાર્ય કરતા નીલેશભાઈ રાવલનું સન્માન કરવામાં આવ્યું હતું અને વ્યસનમુક્તિનું પ્રદર્શન કરવામા આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ડીસીડબ્લુના અધિકારી પવનકુમાર અગ્રવાલ,  ડી આર સીઘવી તેમજ યુનિયનના વડા કિરીટસિંહ જાડેજા તેમજ કંપનીના કર્મચારીઓ મોટી સંખ્યામાં કાર્યક્રરો અને કામદારો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article