Connect with us

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના વાવડી ગામની નદીમાં પુર

Published

on

રાજ્યમાં થોડા દિવસો પહેલા પડેલા ભારે વરસાદના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું હતું. ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત દ.ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ભારે વરસાદને પગલે ધ્રાંગધ્રાના વાવડી ગામની નદીમાં અનેક લોકો ફસાયા હતા. જે બાદ આજે વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ માલવણ પાસેથી પાન્નીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ પહેલા કુલ 6 જણાનાના મૃતદેહ મળ્યા હતા. આ માટે સ્થાનિક વહીવટી તંત્રને જાન કરવામાં આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્રએ વાયુસેનાની મદદ પણ માંગી હતી. વાયુસેનાએ હેલીકોપ્ટર પણ મોકલ્યું હતું પરંતુ ખરાબ હવામાનના કારણે હેલીકોપ્ટર પાછુ ફર્યું હતું. તમને જણાવી દઈએ કે ધ્રાંગધ્રાના વાવડી ગમે ફૂલકું નદી આવેલી છે. 24 કલાકમાં પડેલા ભારે વરસાદને પગલે ફૂલકું નદીમાં પુર આવ્યું હતું. આ દરમિયાન અનેક લોકો તેમાં ફસાયા હતા.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

સુરેન્દ્રનગર

મહિનામાં 3 વાર પાણી આવ્યું છે, તે પણ અપૂરતું : ગ્રામજનો

Published

on

Water comes 3 times a month, it is also insufficient: villagers

લખતર તાલુકાનાં સદાદ ગામે પાણીની કપરી પરિસ્થિતિનાં કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાયેલી છે. આ અંગે તંત્રને અનેક રજૂઆતો તેમજ અધિકારીઓની રૂબરૂ મુલાકાત બાદ પણ પાણીનો પ્રશ્ન હલ ન થતાં મહિલાઓ રોષે ભરાઈ હતી.સરપંચે અગાઉ લખતર મામલતદારને લેખિત રજૂઆત પણ કરી હતી. ત્યારબાદ ગામમાં મામલતદાર, ટીડીઓ તેમજ પાણી પુરવઠાના અધિકારીઓ સંપની મુલાકાત કરવા આવ્યા હતા. ત્યારબાદ માત્ર 1 દિવસ અપૂરતું પાણી આપ્યું હતું. જેથી ગામની જરૂરિયાત પૂરી થાય તેવી પરિસ્થિતિ ન હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો.સંપમાં ધીમે ધીમે પાણી શરૂ થતાં સાંજના 6 વાગ્યાના સુમારે ગામની મહિલાઓ સંપે પાણી ભરવા આવી હતી.

Water comes 3 times a month, it is also insufficient: villagers

પરંતુ લગભગ પાંચેક મિનિટ એક બેડું ભરાઈ તેટલું ધીમે પાણી આવતું હોવાથી મહિલાઓમાં કચવાટની લાગણી ફેલાઇ હતી. આ અંગે ગામનાં રંજનબેન, ગૌરીબેન, ભાવનાબેન વગેરે જણાવ્યું કે છેલ્લાં એકાદ મહિનામાં 3 વખત માંડ પાણી આવ્યું છે. તે પણ અપૂરતું છે. લોકોને પણ પાણી પૂરું પડતું નથી તેવામાં ઢોર ઢાંખરનું શું? પાણી ન આવતાં બહુ જ અગવડતા વેઠવી પડે છે.સરપંચ વીરમભાઈ રબારીએ જણાવ્યું કે, અમારા ગામમાં પાણી ન આવતું હોવાની રજૂઆત સતત 6 દિવસ સુધી પાણી પુરવઠામાં કરતા સાતમા દિવસે અધિકારીઓ મુલાકાતે આવેલ અને પાણી આપ્યું હતું. તે પણ અપૂરતું હતું. અમારા ગામમાં લોકો માટે 70,000 લીટર તેમજ પશુઓ માટે 20,000 લીટર પાણીની જરૂરિયાત થઈને કુલ 90,000 લીટર પાણીની જરૂરિયાત છે. તેની સામે હાલમાં 10,000 લીટર પાણી પણ ગામમાં મળતું નથી. આ અંગે અનેક રજૂઆતો કરી છે હવે જો 2 દિવસમાં પૂરતું પાણી નહીં મળી રહે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

Continue Reading

સુરેન્દ્રનગર

ગામ દ્વારા સામૂહિક વીજ બિલ ભરવાના બહિષ્કારની ચીમકી

Published

on

Village boycott of mass electricity bill

વઢવાણ તાલુકાના ખેરાળી ગામમાં ગ્રામજનો દ્વારા 2015થી વીજપ્રશ્નોની અનેકવાર રજૂઆતો કરવા છતાં હલ ન થતા રોષ ફેલાયો છે. આથી સોમવારે સરપંચ સહિત ગ્રામજનો દ્વારા વડાપ્રધાન સહિત ઉચ્ચકક્ષાઅે લેખિતમાં રજૂઅત કરી વીજ અધિકારીને આવેદન આપ્યું હતું. વઢવાણ તાલુકાના ખેરાળી ગામમાં અંદાજે 7500 લોકોની વસ્તી વસવાટ કરી રહી છે.ત્યારે 2015થી લઇને આજદિન સુધી વીજપુરવઠાનો પ્રશ્ન હલ ન થતા લોકોમાં રોષ ફેલાયો છે. આ અંગે ગામના સરપંચ જુવાનસિંહ ડોડીયા, ચાવડા હર્ષદભાઈ, મકવાણા ગૌતમભાઈ, ચમનભાઇ પારઘી સહિતના ગ્રામજનોઅે લેખિતમાં વડાપ્રધાન તેમજ ગાંધીનગર અને જિલ્લાકક્ષાના જુદા જુદા વિભાગોને રજૂઆત સાથે વીજ અધિકારીને સોમવારે આવેદન આપ્યું હતું.

Village boycott of mass electricity bill

જેમ‍ાં જણાવ્યા મુજબ ગામમાં વારંવાર વીજપુરવઠો ખોરવાઇ જવા, વીજ સેવા નિયમોનુસાર પૂરી ન પાડવા, અધિકારીઓ દ્વારા ઉદ્ધતાઇભર્યું વર્તન તથા જવાબ આપવા રજૂઅાત કરાઇ હતી.આ ઉપરાંત ગામથી 1.5 કિમી દૂર આવેલા જેટકો સબ સ્ટેશનથી અલગ ફિડર કરવા, પાયલોટ પ્રોજેકેટ બનાવી ખેરાળી સુધી ફીડર લાઇન અંડર ગ્રાઉન્ડ કરવાની દરખાસ્ત-પ્રપોજલ બનાવવા નવીનતમ પ્રયોગ હાથ ધરવા અને છેલ્લા 7 વર્ષથી ગ્રામજનો જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેનો કાયમી નિરાકરણ લાવવાની માગ કરી હતી.અને જો કોઇ પગલા લેવામાં નહીં અાવે તો ન છૂટકે સંવૈધાનિકક લડત કરવાની તેમજ ગામ અને ગ્રામપંચાયત દ્વારા વીજવિભાગ વિરૂધ્ધ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. સમગ્ર ગામ દ્વારા સામૂહિક રીતે વીજ બિલ ભરવાનો બહિષ્કાર કરવાની ચીમકી આપતા ચકચાર ફેલાઇ હતી.

Continue Reading

સુરેન્દ્રનગર

વધેલું સારું ભોજન ભૂખ્યા સુધી પહોંચાડવાનો પ્રયાસ

Published

on

Trying to deliver increased good food to the hungry

સુરેન્દ્રનગરમાં મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 2019માં રોબીન હુડ આર્મી થકી એક સેવાકાર્ય શરૂ કરાયુ હતુ.જેમાં સેવાભાવી સંસ્થાન લોકોની મદદથી ભુખ્યાને ભોજન કરાવાય છે. કોઇ પ્રસંગોમાં વધેલુ ભોજન બગાડ ન થાય માટે જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની સેવા 20 હજાર લોકોને ભોજન પૂરું પાડતું સેવાનું વટવૃક્ષ બની ગયુ છે.યુરોપીયન દેશીમાં પ્રચલીત છે રોબીન હુડ નામનો બહારવટીયો જે રાજાઓ અને અમીરોને લુંટી ગરીબ અને જરૂરીયાત મંદોને મદદ કરતો હતો.ત્યારે સુરેન્દ્રનગર ખાતે ઓગસ્ટ-2019 માં મેડીકલ કોલેજ ના અમુક વિદ્યાર્થીઓ દ્વારા અને પછી ડો દિવ્યરાજસિંહ પરમાર રોબીનહુડ આર્મી બનાવાઇ છે.જે ગરીબ બાળકોને દર અઠવાડિયે ગરમ–તાજું તથા સ્વાથ્યવર્ધક ભોજન કરાવેછે.જે નાનકડી શરૂઆત આર્મી બની હવે 20,000 લોકોને ભોજન પુરૂ પાડતુ વડવૃક્ષ બની ગયુ છે.

Trying to deliver increased good food to the hungry

જેમાં 50થી વધુ રોબીનજેઓ કોમ્પયુટર એન્જીનીય રિદ્ધિ દવે અને બંસી કોટેચા, ટીસીએસ ઇન્ફોસીસ જેવી ખ્યાતનામ IT કંપની માં કામ કરે છે.દીપ વડનગરા અને પાયલબેન ડોક્ટર, ધવલભાઈ શિક્ષક છે તો વ્યોમ કે તેજસ્વી હજુ 10-12 ધોરણ માં ભણે છે. ઘણી વાર મોટા જથ્થા માં ભોજન વિતરણ કરવાનું હોય તો મેડીકલ કોલેજ ના વિદ્યાર્થી /વિદ્યાર્થ ીની ઓ સ્વયમસેવક તરીકે જોડાય છે.આ અંગે સ્વયંસેવકોએ જણાવ્યુકે કોરોનાની બીજી લહેરમાં વિદેશથી અનેક લોકોએ લાખો રૂપિયાની સામગ્રી પૂરી પાડેલી તેનાથીએ સમયમાં જેઓના કામ ધંધા બંધ હતા તેવા અનેક પરિવારોને અનાજ, તેલ વગેરે કીટ, સ્વચ્છતા માઠે રોબીન મહિલા ગ્રુપે રી-યુજેબલ સેનેટરી નેપકીન્સના વિતરણની ઝુંબેશપણ ચલાવેછે .કોરોના સમયમાં જરૂરીયા તમંદોને ટીફીન, ઓક્સીજન બોટલ, વૃધ્ધોની દેખરેખ, રસીકરણ, માસ્ક વિતરણ સેવાઆપી હતી.સંસ્થા રોટી ડે ઉજવણી કરી લોકોને વ્હોટ્સએપથી રોટલી દાન કરવાનુ કરી કેત્ર કરી ભુખ્યાલોકોને ભોજન અપા છે. જ્યારે 9409043 060 નંબર જાહેર કરાયો છે.જેમાં વધારાનો ખોરાક હોય તો નજીકના રોબીન હુડ આવી તે ભોજન યોગ્ય સ્થાને વહેચણીની સેવા આપે છે.

Continue Reading
Uncategorized28 mins ago

વારાણસી પહોંચ્યા પીએમ મોદી, એરપોર્ટ પર સીએમ યોગી તેમનું સ્વાગત કરવા હાજર

Uncategorized53 mins ago

ઓફિસની દિશા બદલો, બદલાઈ જશે તમારું ભાગ્ય, જાણો શું કહે છે વાસ્તુ

Uncategorized15 hours ago

મહારાષ્ટ્ર, ગુજરાત અને એમપીમાં 7 સ્થળો પર દરોડા, ગઝવા-એ-હિંદ વિરુદ્ધ કાર્યવાહી

Uncategorized15 hours ago

મહિન્દ્રા ઈલેક્ટ્રિક કાર પર મોટો દાવ લગાવશે, $1.3 બિલિયન એકત્ર કરશે, જાણો સંપૂર્ણ વિગતો

Uncategorized15 hours ago

એક જમાનામાં ભારતીયોને મસૂરી જવાની પરવાનગી ન હતી… અને આ સ્થળનું નામ કંઈક આ પ્રકારનું હતું.

Uncategorized15 hours ago

હવે ડેસ્કટોપ યુઝર્સ પણ ગ્રુપ કોલ કરી શકશે, વોટ્સએપે એક નવું અપડેટ બહાર પાડ્યું છે

Uncategorized16 hours ago

ઉત્તરાખંડનું એક અનોખું સ્થળ, જ્યાં લોકો ઉનાળાની મુલાકાત લેવા માટે રાહ જુએ છે, તેનું નામ પણ ક્યારેય સાંભળ્યું નહિ હોય

Uncategorized16 hours ago

Ramadan 2023: રમઝાન મહિનામાં ફિટ રહેવા માટે આ 5 રીતોને અનુસરો

Uncategorized3 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized4 weeks ago

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

ગુજરાત4 weeks ago

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

Uncategorized4 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

Uncategorized3 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે

Uncategorized4 weeks ago

ઓરેવા કંપની મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર આપશે, ગુજરાત હાઈકોર્ટનો આદેશ

Uncategorized4 weeks ago

DRDOનો ઓફિસર પાકિસ્તાન માટે કરી રહ્યો હતો જાસૂસી! પોલીસે ધરપકડ કરી

Trending